અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કડક પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. જેના કારણે કોરોનાની ગતિ ધમી પડી છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના નવા કેસો 2521 નોંધાયા છે. ત્યારે 27 લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મેગાસિટીઓમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરેમાં 336, વડોદરા શહેરમાં 308, સુરત કોર્પોરેશનમાં 228, વડોદરા જિલ્લામાં 172, રાજકોટ શહેરમાં 122, સુરત જિલ્લામાં 84, અમરેલીમાં 80, જુનાગઢમાં 75, જુનાગઢ શહેરમાં 69, રાજકોટ 68, ગીર સોમનાથ 67, પોરબંદર 66, પંચમહાલ 65 કેસ નોંધાયા હતા.
રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 7965 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,50,015 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં રીકવરી રેટ 93.36 ટકા જેટલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2521 દર્દીઓ નોંધાયા છે. આજે રાજ્યમાં કુલ 2,36,541 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નવસારી 60, ભરૂચ 57, જામનગર શહેર 53, કચ્છ 53, આણંદ 51 બનાસકાંઠા 51, સાબરકાંઠા 42, ભાવનગર શહેર 38, ખેડા 38, મહેસાણા 35, વલસાડ 35, જામનગર 30, મહિસાગર 27, દેવભૂમિદ્રારકા 26, ગાંધીનગર કોર્પોરેશન 26, દાહોદ 23, ગાંધીનગર 21, ભાવનગર 20, પાટણ 20 આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં 20 કરતા ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.