સી.આર.પાટીલજી તમે કરોડપતિ છો તો તમને પ્રજાના ટેક્સના પૈસે જે ફ્રી સુવિધા મળે છે તેને મૂકી દો: ઈસુદાન ગઢવી
ફ્રી રેવડી કહીને ગુજરાતની જનતાની મજાક કરો છો: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં એક પણ સુવિધા ફ્રી નથી છતાં પણ ગુજરાતનું સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે, ભાજપે ગુજરાતને દેવામાં ડુબાડી દીધું છે: ઈસુદાન ગઢવી
ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસાનું વળતર આપો, નહીં તો ખુરશી ખાલી કરો: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતનું બજેટ નફામાં હશે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ફરીથી પોતાની ગુજરાત વિરોધી પોતાની માનસિકતા છતી કરી છે. અમને ખબર છે તમે ગુજરાતી નથી બિન ગુજરાતી છો એટલે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવો છો. ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તમને પેટમાં દુખે છે, તમને 4000 યુનિટ વીજળી ફ્રી મળે છે એને મૂકી દો. તમે કરોડપતિ છો એવું મેં રિપોર્ટમાં વાંચ્યું છે, તો તમને પ્રજાના ટેક્સના પૈસે જે ફ્રી સુવિધા મળે છે તેને મૂકી દો. ફ્રી રેવડી કહીને ગુજરાતની જનતાની મજાક કરો છો. તમે એવું કહો છો કે ફ્રી રેવડી આપવાથી ગુજરાત બરબાદ થઈ જશે, દિલ્હીમાં બધી સેવાઓ ફ્રી મળે છે છતાં પણ દિલ્હી સરકાર નફામાં ચાલે છે. ગુજરાતમાં તમે એક પણ ચીજ ફ્રી નથી આપતા છતાં પણ ગુજરાતમાં સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે.
ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ સી.આર.પાટીલ અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતને તમે ડુબાડી દીધું છે. ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસાનું વળતર આપો, નહીં તો ખુરશી ખાલી કરો. તમે જોઈ લેજો મહિલાઓને એક હજાર રૂપિયા આપીશું, વીજળી ફ્રી આપીશું, તમામ સેવાઓ ઘરે આપીશું, તમામ લોકોને આરોગ્ય સેવાઓ ફ્રી મળશે, છતાં પણ આમ આદમી પાર્ટીની સરકારમાં ગુજરાતનું બજેટ નફામાં રહેશે.અમે તમને લખીને આપીએ છીએ, તમારી જેમ અમે ભ્રષ્ટાચારી નથી.