પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ના દ્વાર આગામી 8 જૂન ના રોજ ભાવિકો માટે ખુલવા જઇ રહ્યા છે, ત્યારે કેન્દ્રસરકાર અને રાજ્યસરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર સોમનાથ મંદિરમાં અનેકવિધ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક કલાકમાં માત્ર 300 વ્યક્તિ સોમનાથ ના દર્શન કરી શકશે. અને ગીરસોમનાથ જિલ્લા બહારથી જતા લોકોએ 12 જૂન બાદ જ સોમનાથ ટ્રસ્ટ ની વેબસાઈટ પર અગાવ થી રજીસ્ટ્રેશન કરી અને નિશ્ચિત સમય ની કન્ફોર્મેશન લઈને દર્શન કરવા જવાનું રહેશે. સાથેજ સોમનાથ માં 65 વર્ષ થી વધુ ઉંમર ના લોકો અને 10 થી વર્ષ થી ઓછી વયના બાળકોને પ્રવેશ નિષેધ કરાશે.
લોકડાઉન ના અમલ પહેલાજ 19 માર્ચ થી યાત્રિકો માટે સોમનાથ મંદિર બંધ કરાયું હતું હવે જ્યારે સોમનાથ મંદીર મા આગામી 8 જૂન થી ભાવીકો ના દર્શન માટે ખુલશે ત્યારે સોમનાથ ના દર્શન વખતે ભાવિકો માં કોરોના નું સંક્રમણ ન થાય અને સારી રીતે દર્શન થઈ શકે એ માટે સોમનાથ ટ્રસ્ટે અનેક નવી કાળજીઓ લીધી છે.
જો યાત્રી વ્યવસ્થા ની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર ના દ્વારા ઉપર માંડવા બાંધીને લોકોને તડકે ન ઉભવું પડે તેવી વ્યવસ્થા કરાઈ છે. સાથેજ દ્વાર ઉપર 2 સેનિટાઈઝર ચેમ્બર બનાવાઈ છે. જેમાં ભાવિકોને સ્પ્રે દ્વાર સેનેટાઇઝ કરવામાં આવશે. તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ માટે મંદિર પરિસર ના માર્ગ પર સર્કલ કરવામાં આવ્યા છે જે યાત્રીઓ વચ્ચે 4 કે 5 ફૂટ દુરી જાળવવા મદદરુપ થશે. મંદિરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થા ઉપરાંત એક કલાક મા 300 ભાવીકો સોમનાથ મંદીરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાય છે.
ગીરસોમનાથ ની બહારથી આવતા ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટ ની બસાઈટ www.somnath.org પર આગામી 12 જૂન થી ઓનલાઇન દર્શન બુકીંગ માટે સમય મેળવી અને ફળવાયેલા નિયત સમયે જ સોમનાથના દર્શન કરવા આવવાનું રેહશે.
કેન્દ્રસરકાર ની ગાઈડલાઈન મુજબ લીધેલા નિર્ણય અનુસાર સોમનાથ માં 65 વર્ષ થી ઊપર ની વય ના વડીલો અને અને 10 વર્ષ થી નીચેની ઊમર ના બાળકો ને મંદીર મા પ્રવેશ નહી અપવામાં આવે. કારણકે આ ઉંમરના લોકોમાં કોરોના નું સંક્રમણ થવાની સંભાવના સૌથી વધુ જોવા મળી છે. આ ઉપરાંત મંદિરમાં દર્શને જતા લોકોને કોઈપણ જગ્યાઓ જેવીકે રેલિંગ, મૂર્તિઓ,મંદિર ના ઘંટ ને અડવાની મનાઈ કરવામાં આવી છે.
સાથેજ નવા નિયમ અનુસાર સોમનાથ મંદિરમાં લોકો દંડવત પ્રણામ નહિ કરી શકે.
અને ભક્તો દ્વારા ભગવાન માટે લાવતા ગંગાજલ,બીલીપત્રો કે ફૂલો મંદીર માં નહિ લઈ જવા દેવામાં આવે. અને સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને કોઇપણ વસ્તુ લાવ્યા વગર દર્શન કરવા અનુરોધ કરી રહ્યું છે.