વેરાવળ : વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રેકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું મુખ્ય કેન્દ્ર બિંદુ તલાલાના ગ્રામ્ય વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે.
એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.