ગાંધીનગરમાં માલધારી સમાજની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તેમજ માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં કાયદો પાછો નહીં ખેંચાય તો આંદોલનની રણનીતિ બનાવવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પાછો ખેંચવાની ખાતરી આપી હતી. સરકારે 15 દિવસમાં નિર્ણય લેવાની ખાતરી આપી હતી. આમ છતાં માલઘારી સમાજે બેઠક બોલાવી છે.
સરકારના એનિમલ કંટ્રોલ એક્ટ પર માલધારી સમાજને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા પશુઓથી લોકો પરેશાન છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાકે જીવ ગુમાવ્યા છે. હવે માલધારી સમાજે સરકારના એનિમલ કંટ્રોલ બિલ સામે સભા યોજવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં તા.11 થી 18 અને તા.20 થી 30 સુધી તમામ ધારાસભ્યોનો ટેકો મેળવીને ડોર ટુ ડોર પેમ્ફલેટ પહોંચાડવા વિડીયો રેકોર્ડીંગ અથવા લેખિતમાં ધારાસભ્યનો સહયોગ મળશે. આ સાથે ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોનો સહયોગ પણ મળશે. જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં દૂધ પર પ્રતિબંધ મુકવામાં આવશે. અંતે ગુજરાતભરમાંથી ગાયોને ગાંધીનગર લાવવામાં આવશે.
ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે અમારું આંદોલન અલગ-અલગ રીતે ચાલુ રહેશે. સરકારે આંદોલન ન કરવા વિનંતી કરી. અમે સરકારનું સન્માન જાળવી રાખ્યું છે. સરકારે આપણા સમાજની ગરિમાનું રક્ષણ કરવું જોઈએ. આપણે કૃષ્ણના વંશજ છીએ. સરકાર અમને રાજકારણ નહીં શીખવે. રાજકારણ આપણા લોહીમાં છે. જો સરકાર રાજનીતિ કરશે તો તેનો ભોગ બનવું પડશે.