અમદાવાદ : વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે લોકોના બિઝનેસની સાથે બાળકોના શૈક્ષણિક કર્યો પણ ટલ્લે ચઢી ગયા છે. નાના ધોરણોમાં પરીક્ષાઓ રદ કરી વિદ્યાર્થીઓને પ્રમોશન આપી આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ હવે કોરોનાને કારણે મોકૂફ રહેલી ગુજરાય યુનિવર્સીટીની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ગુજરાય યુનિવર્સીટી દ્વારા પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો એજ્યુકેશન, વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાની સંભવિત તારીખની જાહેરાત ગુજરાય યુનિવર્સીટી દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યા શાખાની પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 21મી ઓગસ્ટથી જયારે બીજા તબક્કાની પરીક્ષા 31મી ઓગસ્ટથી શરુ કરાશે.