ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે તેવા અહેવાલો વહેતા થયા હતા. જોકે, રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ફરી એકવાર આ મુદ્દે સ્પષ્ટતા આપતા કહ્યું કે, રાજ્યમાં કોઈપણ લોકડાઉન લાદવામાં આવશે નહીં. નીતિન પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં બધુ રાબેતા મુજબ છે. આ સાથે જ નીતિન પટેલે જાહેરાત કરી છે કે હાલની સ્થિતિએ રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા કોરોના કેસને કારણે ફરી લોકડાઉન કરવામાં આવશે તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સ્પષ્ટતા આપી છે.