અમદાવાદઃ તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ ગુજરાતને ગમરોળી નાંખ્યું છે સાથે સાથે પશ્વિમના દરિયાકાંઠાના રાજ્યોમાં પણ ભારે અસર પહોંચી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ચોમાસું આવનારું છે. તો અહીં પ્રશ્ન એ પણ થાય છે કે વાવાઝોડાની અસર ચોમારાની પેટર્ન ઉપર થશે કે નહીં. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત અંદમાનના દરિયા કિનારાથી થાય છે અને ધીમે ધીમે કેરળ અને આખા દેશમાં શરું થાય છે. જોકે, આ સામાન્ય પેટર્ન ઉપર વાવાઝોડાની કેટલી અસર થશે તે અંગે નિષ્ણાંતે પોતાની રાય આપી છે.
દેશમાં ચોમાસાની શરૂઆતને લઈ ગુજરાતના જાણિતા હવામાન નિષ્ણાતે આગાહી કરી છે.કે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું શરૂ થઈ જશે.અંદમાન ટાપુ પર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.અરબી સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ છે.અને દેશના દક્ષિણ છેડે સમુદ્રનું તાપમાન ઊંચું છે.ઘણા બધા પરિબળના કારણે ચાલુ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું આવી જવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.જો વાવઝોડુ બંગાળના ઉપસાગર પર વધુ અસર કરે તો જુનના ચોમાસાની શરૂઆત નબળી થઈ શકે કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ચોમાસું આગળ વધશે.અને ગુજરાતમાં ચોમાસુ 15 જૂન બાદ શરૂ થાય છે. જોકે કેરળમાં વહેલું ચોમાસુ શરૂ થશે તો પણ ગુજરાતમાં સમયસર ચોમાસુ આવશે.
15થી 17 જુનના સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં વરસાદ થવાની શકયતા છે. 21 જુનના પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.ચોમાસાનો વરસાદ 98 ટકા રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં નિયમિત ચોમાસુ 21 જૂન પછી આવવાની શક્યતા છે. અને ગુજરાતના અન્ય ભાગોમાં 29 જૂન પછી ચોમાસુ સક્રિય થશે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં સારો વરસાદ થાય.પછોતરો વરસાદ પણ સારો થવાના કારણે રવિ પાક સારા થાય.
કેરળમાં ચોમાસાની શરૂઆતને લઈ હવામાન વિભાગે પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે કેરળમાં 31 મેના ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે સાથે આગળ પાછળ 5 દિવસ થઈ શકે. ત્યારે હવામાન નિષ્ણાંતે લે આગાહી કરી છે દેશમાં ચોમાસાનું આગમન સમય કરતાં વહેલુ થશે.