ગીર સોમનાથઃ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તૌક્તે વાવાઝોડાનો ભય ગુજરાતના કિનારાના ગામડાઓમાં મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાએ માર્ગ બદલતા હવે પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થવાની સંભાવના વચ્ચે આ વિસ્તારમાં વસતા હજારો લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથધરવામાં આવી છે. જોકે, બીજી તરફ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. અને બીજી લહેર વધારે ખતરનાક હોવાથી લોકોને તૌક્તે અને કોરોનાથી બચાવવા માટે સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. સ્થળાંતર થનારા લોકોના પહેલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને સ્થળાંતર કરાશે.
પોઝિટિવ લોકોને સાઈસોલેટ કરાશે
મળતી માહિતી પ્રમાણે એક તરોફ કોરોનાનો કહેર અને બીજી તરફ તૌક્તે વાવાઝોડાનું તોળાતા સંકટ વચ્ચેતંત્રએ પહેલાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યુ છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમાંથી પોઝિટિવ આવશે તેમને આઇસોલેટ કરવાની ફરજ પાડવામાં આવશે.
નેગેટિવ લોકોને શાળા અને કોમ્યુનિટી હોલમાં આસરો
દરમિયાન જે લોકો નેગેટિવ હશે તેમને શાળા અથવા કૉમ્યુનિટી હૉલમાં સલામત સ્થળે ખસેડાશે. જોકે, મોટા ભાગના ગામડાંઓમાં શાળા આવી આફતમાં શેલ્ટર હોમ તરપીકે કામ કરે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે શાળાઓમાં સ્થળાંર શક્ય નથી ત્યારે જિલ્લા તંત્ર અન્ય વ્યવસ્થા કરશે.
ગીર સોમનાથને 8000 એન્ટીજન કીટ અપાઈ, 10,000 કીટની અલગ વ્યવસ્થા
ગીર સોમનાથના સત્તાવાર અધિકારીના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની સંભાવનાઓને જોતા તંત્રએ પૂરતી તૈયારી કરી છે. અમને સરકાર તરફથી 8000 એન્ટિજન ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે જ્યારે 10,000 કીટની અલગ વ્યવસ્થા થઈ છે. આમ 12,500 વ્યક્તિના પહેલાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ આ તમામ લોકોને સલામત સ્થળાંતર કરી દેવામાં આવશે.