પોલીસ પરિવારે આપઘાત કરતા એવું લખવું પડે છે કે અમારું ગ્રેડ-પે વધારવા નથી દેતા, આ ખૂબ જ દુઃખની વાત છે: ઈસુદાન ગઢવી
જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે પોલીસ કર્મચારીઓનું ગ્રેડ-પે સૌથી પહેલા વધારવામાં આવશે: ઈસુદાન ગઢવી
ભગવાન આપઘાત કરનાર પોલીસ પરિવારના પીડિતોની આત્માને શાંતિ આપે: ઈસુદાન ગઢવી
સૌને ખબર છે કે ભ્રષ્ટ ભાજપ ગ્રેડ-પે આપવાનું કામ નથી કરી શકતી, પરંતુ આમ આદમી પાર્ટી આ કામ કરી બતાવશે: ઈસુદાન ગઢવી
આપઘાત કરનાર પોલીસ પરિવારના હસતા ખેલતા ફોટા જોઈને મનમાં વિચાર આવે છે કે, થઈ શું રહ્યું છે ગુજરાતને?: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે વીડિયોના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, દુઃખ સાથે કહેવું પડે છે કે એક પોલીસ કર્મચારીએ પોતાની પત્ની અને દીકરી સાથે આપઘાત કર્યો છે. અને આપઘાત કરતા એવું લખવું પડે છે કે અમારું ગ્રેડ-પે વધારવા નથી દેતા, આ ખૂબ જ દુઃખની વાત છે. તેમના હસતા ખેલતા પરિવારના ફોટા જોઈને મનમાં વિચાર આવે છે કે, થઈ શું રહ્યું છે ગુજરાતને? ભગવાન એ ત્રણેય આત્માને શાંતિ આપે.
હું એ તમામ પોલીસ કર્મચારીઓને વિનંતી કરું છું કે આવા નબળા વિચાર નહીં કરતા. આપણી સાથે ભગવાન હશે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તમારો ગ્રેડ સૌથી પહેલા વધારવામાં આવશે. તમારે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, બસ નબળું ન વિચારશો. હવે આપઘાત કરનાર પોલીસ પરિવારની આત્મા પણ ગ્રેડ-પે માટે આપણો સાથ આપશે. મારી સૌથી વિનંતી છે કે કોઈ નબળું ન વિચારશો. સૌને ખબર છે કે ભ્રષ્ટ ભાજપ આ કામ નથી કરી શકતી, પરંતુ આમ આદમી પાર્ટી આ કામ કરી બતાવશે અને સત્ય હશે તો ઈશ્વર પણ સાથ આપશે.