રાજકોટમાં રોડ- રસ્તાને લઇ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન સામે રાજ્કીય નેતાઓ , તેમજ સામાન્ય જનતા પણ આક્રોશ ઠાલવી રહી છે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાએ બોર્ડમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો અને શાસક પક્ષ સામે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી જેમાં તેમણે આક્રોશ ઠાલવી પોતાના સ્માર્ટફોનમા રાજકોટના જુદા-જુદા વિસ્તારના ખાડાઓ બતાવ્યા અને સત્તાપક્ષ સામે પડકાર ફેંકતા કહ્યુ કે રાજકોટના એ રોડ બતાવુ કે જયાં ખાડા ન હોય જો ખાડા નહી હોય તો હું રાજીનામુ આપી દઇશ બીજા તરફ ખાડા પડેલા રસ્તાઓને સમારકામ કરી પુરવામાં આવ્યા હોવાનું દાવો ભાજપ દ્રારા કરવામાં આવ્યુ હતુ
આ અંગે આપ નેતા વશરામ સાગઠિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે રાજકોટમાં લોકોના મણકા ભાંગી ગયા તેવા રોડ રસ્તા છે ઓર્થોપેડિક હોસ્પિટલમાં 32 ટકા કેસોની સંખ્યા વધી છે.
તો બીજી તરફ મેયરે જણાવ્યુ કે ચાલુ વર્ષે વધુ વરસાદ પડ્યો જયારે પ્રથમ વખતે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો બીજા જ દિવસો ખાડાઓ પુરવાની કામગીરી રાત્રિ પણ 24 કલાક દિવસ-રાત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી થોડાક સમય પહેલા ડામર દ્રારા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ફરીથી છેલ્લા પાંચ દિવસથી સળંગ વરસાદ વરસ્યો છે તેના લઇ ડામર પ્લાન્ટ હાલ બંધ છે અને જયારે ડામર પ્લાન્ટ શરૂ થશે ત્યા જે જે જગ્યાએ ડામર જરૂપ પડશે ત્યા ચોક્કસપણે ડામરની કામગીરી કરવામાં આવશે