અંબાજીઃ ઉત્તર ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજી મંદિરને સુવર્ણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભક્તો આ કામમાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે વધુ એક દાનવીરે અંબાજી મંદિરમાં એક કિલોથી વધુ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાનમાં આપ્યું છે. જેની કિંમત આશરે 51,54, 600 ગ્રામ માનવામાં આવી રહી છે.
માતાજીના દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા અંબાના મંદિરનું શિખર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેંદ્ર માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અંબાજી મંદિર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનું અને 15,711 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, હાલ સુવર્ણ યોજના-2 હેઠળ સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને યાત્રિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભક્તોની મદદથી મા અંબાનું મંદિર જલદી જ સુવર્ણનું બનશે તેવી આશા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરમાં પણ તાજેતરમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું. તમિલનાડુમાં રહેતા એક વ્યક્તિએ કોરોનામાંથી સાજા થતાં ભગવાન બાલાજીના ચરણોમાં ત્રણ કિલોથી વધારે સોનાની ઇંટો દાનમાં આપી હતી.