સુરેન્દ્રનગર હાલ સરકારી ચોપડે કોરોના નો ફક્ત એક કેસ નોંધાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુળના ની ટેસ્ટ તાતી જરૂરિયાત હોય જેથી આવા દર્દીઓને ઝડપી બીજા લોકોમાં ફેલાતો અટકાવી શકાય પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ટેસ્ટ ન કરવામાં આવતા અનેક રજૂઆતો બાદ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનની કામગીરી ઓછી અને કાગળ પર મોટી કામગીરીનો ચિતાર પ્રજા સમક્ષ રજુ થઇ રહ્યો છે, ત્યારે જિલ્લામાં અનેક પરપ્રાંતીઓ તથા બાહ્ય જિલ્લાના લોકો સ્થળાંતર કરી પોતાના વતનમાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં કોરોના ના ટેસ્ટ ફરજીયાત હોવો જોઈએ પરંતુ મામૂલી તપાસ કરી માત્ર હોમ કોરેંટિન થઈ જવા જણાવવામાં આવ્યું હતું. જિલ્લાનો સદ્નસીબ એ છે કે હજુ સુધી માત્ર એક જ કેસ નોંધાયો છે, પરંતુ જાજા લોકોના સંપર્કમાં આવતા પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો, મેડિકલ સ્ટોર વાળા અને અનાજ કરિયાણાના વેપારી, પત્રકારોને મોટા પ્રમાણમાં તાત્કાલિક ધોરણે કોરોનાવાયરસ ના ટેસ્ટ થવા જોઈએ જેથી કોરોનાની સંખ્યાની સાચી ખબર પડે અને જીલ્લામાં રોગચાળો ફેલાતો અટકાવી શકાય. તેવી લખતર દસાડા વિધાનસભા સભ્ય નૌશાદ સોલંકી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અસરકારક રજૂઆતો કરવા છતાં આ બાબતે યોગ્ય કાર્યવાહી ન થતાં ધારાસભ્ય નૌશાદ સોલંકી આજે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂઆતો કરી. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્યની રજૂઆતો પણ જિલ્લા પ્રશાસન ગણકારતું ન હોય ત્યારે ધારાસભ્યોને પણ કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆતો કરવી પડતી હોય તો આવા સંઘર્ષના દિવસોમાં આમ આદમીએ તો માત્ર ભગવાન ભરોસે જ બેસવાનો વારો આવશે.
Friday, May 17