ગુજરાતના લોકોની આશા અને અપેક્ષાઓ વચ્ચે વિધાનસભામાં બજેટ રજુ થઈ ગયું છે, ત્યારે ગુજરાત સરકારના નવા બજેટ 2017-18 પત્રકારો માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. નિતીન પટેલે વિધાનસભામાં નવા બજેટની જાહેરાત કરતા જણાવ્યું છે કે અત્યાર સુધી માન્યતાપાત્ર પત્રકારો એસટી બસમાં નિશુલ્ક પ્રવાસ કરી શકતા હતા, આવા પત્રકારોને લાભ થાય તે હેતુથી હવે તેમને એસટી બસની સાથે અમદાવાદથી રાજકોટ અને અમદાવાદથી બરોડા વચ્ચે ચાલતી તેમજ ભવિષ્યમાં શરૂ થનારી વોલ્વો બસમાં નિશુલ્ક પ્રવાસ કરવાની ટિકિટ આપવામાં આવી છે.
આ સાથે બજેટ પ્રમાણે માહિતી વિભાગને આધુનિક બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીવાળા કેમેરાઓ આપવામાં આવશે. નવી સરકારના પહેલા બજેટમાં પત્રકાર માટે આ ખૂબ આનંદના સમાચાર છે.