મેહુલ ભટ્ટ દ્વારા:
બે દીવસ પછી ગુજરાત સહીત સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા ભારતીયોને પણ હચમચાવી જનાર ૮મી નવેમ્બર આવી રહી છે, જે નોટબંધીના વરસી દિવસ તરીકે ઓળખાશે. નોટ બંધીના કોઈ ધર્યા પરિણામો નહિ મળવાના કારણે ભાજપે તેને કેશ લેસ અને ડીજીટલ ઇકોનોમીમાં પરિવર્તિત કરવા માટેની મોટી બહાનાબાજી ચલાવી પરંતુ સરવાળે પ્રજાને મુર્ખ બનાવવાનો જ એક વધુ પ્રયાસ સાબિત થયો અને લોકોને વેપારીઓને મહિનાઓ સુધી હેરાનગતિ વેઠવી પડી. હવે ચુંટણીના કારણે ગુજરાતમાં જ ઓછામાં ઓછા રૂ. પાંચ હજાર કરોડ બજારમાં આવે તેવી શક્યતા પુરેપુરી છે. જેમાં કારણે હાલ બજારોમાં ફેલાયેલી મંદીને થોડો ઓક્સીજન મળવાની શક્યતા વ્યક્ત કરી રહી છે.
ચુંટણી પાંચ દ્વારા ઉમેદવારો માટેની ખર્ચની મર્યાદા જે અગાઉ વર્ષ ૨૦૧૨મા ૧૬ લાખની હતી તેમાં વધારો કરીને આ મર્યાદા ૨૮ લાખની કરવામાં આવી છે, આ તો અધિકૃત રીતે કરવામાં આવતા ખર્ચની વાત છે, જયારે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા અનધિકૃત રીતે જે મોટી રકમો ખર્ચવામાં આવે છે તે આંકડો કરોડોમાં પહોચે છે,
ઉપરાંત પાંચ વર્ષ પૂર્વે ચુંટણી પાંચ દ્વારા જે ખર્ચ ચૂટણીમાં કરવામાં આવ્યો હતો તેની સામે આ વખતની ચૂટણીમાં લગભગ ૩૫ ટકાનો વધારો થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે તે જોતા ચુંટણી પાંચ દ્વારા જ રૂ. ૩૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.