સલમાન ખુરશીદના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’નો વિવાદ તો હજી શમ્યો પણ નહતો અને કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ વધુ એક બોમ્બ ફોડ્યો છે. કોંગ્રેસના શાસનકાળમાં મુંબઈમાં થયેલા હુમલા હજી તેમનો પીછો છોડી રહ્યા નથી. મુંબઈ હુમલાના કારણે બીજેપીથી લઈને કોંગ્રેસ પાર્ટીના જ સીનિયર નેતાઓ પક્ષ ઉપર ઘણી વાર આકરા પ્રહાર કર્યા છે. આ વખતે કોંગ્રેસના સીનિયર નેતા મનીષ તિવારીએ જ તેમના પુસ્તક ’10 ફ્લેશ પોઈન્ટ: 20 ઈયર્સ- નેશનલ સિક્યુરિટી ધેટ ઈમ્પેક્ટ ઈન્ડિયા’માં મનમોહન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનીષ તિવારીએ તેમના મુંબઈમાં થયેલા 26/11ના હુમલા પછી પાકિસ્તાન પર કોઈ એક્શન ન લેવાની વાતને કોંગ્રેસની નબળાઈ ગણાવી છે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં મુંબઈના હુમલા પછી કોઈ કાર્યવાહી ના કરવાના મુદ્દે મનમોહન સરકારની નિંદા કરી છે. મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમણે એવું પણ પુસ્તકમાં લખ્યું છે કે, કોંગ્રેસે કાર્યવાહી નહીં કરીને તેમની નબળાઈ બતાવી છે.મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુખ નથી તો તેમની સામે ધીરજ રાખવીએ નબળાઈની નીશાની છે. 26/11 એવી ઘટના છે જ્યારે શબ્દો કરતા વધારે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી. મનીષ તિવારીએ મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરતાં કહ્યું છે કે, ભારતે તે જ સમયે તીવ્ર જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી.આ પહેલાં પણ મનીષ તિવારીએ પાર્ટી પર કર્યા હતા પ્રહાર
આ પહેલી વખત નથી જ્યારે મનીષ તિવારીએ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હોય. આ પહેલાં પણ પંજાબની રાજકિય અસ્થિરતા વિશે કહ્યું હતું કે, તેમને પંજાબની જવાબદારી આપવામાં આવી છે જ્યારે હકીકતમાં તેમને એ વિશેની કોઈ સમજણ જ નથી. તે ઉપરાંત તેમણે કોંગ્રેસમાં કન્હૈયા કુમારની એન્ટ્રી સામે પણ સવાલ ઉભા કર્યા છે.
કોંગ્રેસ સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદના નવા પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ બજારમાં લોન્ચ થયા પછી વિવાદ અટકવાનું નામ જ નથી લેતો અને હવે આ મુદ્દો કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. હિન્દુ સેના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ દાખલ કરીને સલમાન ખુરશીદના પુસ્તકના પ્રકાશન, વેચાણ, પ્રસાર અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.સલમાને તેમના પુસ્તકના પેજ નંબર 113 પર લખ્યું છે કે, સાધુ-સંત જે સનાતન ધર્મ અને ક્લાસિકલ હિન્દુઈઝમને જાણે છે તેને સાઈડમાં રાખીને હિન્દુત્વના એવા વર્ઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે તે આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા જેહાદી આઈસ્લામી સંગઠનોના રાજનૈતિક રુપ જેવુ છે. તેમણે દાવો કર્યો છે કે, હિન્દુત્વનો ઉપયોગ રાજકિય ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી રેલીઓમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ આ લખાણથી એવો વિવાદ થયો છે કે, ખુરશીદે હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકોહરામ સાથે કરી છે.મનમોહન સિંહના વડાપ્રધાન સમયના કાર્યકાળમાં તેમના સલાહકાર રહેલા સંજય બારુએ તેમના પર ‘ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક એપ્રિલ 2014માં લોન્ચ કરાયું હતું અને તે જ સમયે એપ્રિલ-મે 2014માં લોકસભાની ચૂંટણી હતી. તેથી આ પુસ્તક આ સમયે જ કેમ લોન્ચ કરવામાં આવ્યું તે વિશે પણ વિવાદ થયો હતો તે ઉપરાંત તેમાં મનમોહન સિંહની સરકાર વિશે પણ ઘણાં ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા.
સંજય બારુ 2004થી ઓગસ્ટ 2008 સુધી તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહ્યા હતા. પેંહુઈન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પોતાની કેબેનિટ અને ત્યાં સુધી કે પીએમઓ સુધી સિંહનું કોઈ નિયંત્રણ નહતું. મનમોહન સિંહ કરતાં સોનિયા ગાંધી પાસે વધારે તાકાત હતી અને સિંહ તેમના સહાયક હતા. આ પુસ્તકમાં મનમોહન સિંહની સરકારને કથપૂતળીની સરકાર પણ ગણાવવામાં આવી હતી. આ પુસ્તક પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. જોકે આ ફિલ્મ પણ 2019માં બની હતી અને ત્યારે પણ લોકસભા ચૂંટણી આવતી હતી. તેથી એવું પણ માનવામાં આવે છે કે, બીજેપીએ ચૂંટણીમાં લાભ લેવા માટે આ ફિલ્મ બનાવડાવી હતી.કોંગ્રેસી નેતા નટવર સિંહે તેમની આત્મકથા ‘વન લાઈફ ઈઝ નોટ ઈનએફ’માં નટવર સિંહે નહેરુ-ગાંધી પરિવાર સાથેની તેમની નીકટતા સહિત સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો કેમ ઈનકાર કર્યો? રાહુલ ગાંધીએ માતાને શું ધમકી આપી હતી તે દરેક વિશે ખુલાસો કરતા વિવાદ સર્જાયો હતો. આ પુસ્તક ઓગસ્ટ 2014માં બજારમાં આવી હતી. જોકે એ સમયે એપ્રિલ-મે 2014માં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ હતી અને વડાપ્રધાન પદ તરીકે મોદી આવી ગયા હતા. તેથી આ પુસ્તકની અસર ચૂંટણી ઉપર થાય તેવી નહતી
આ પુસ્તકમાં એક યુવા નેતા તરીકે રાજીવ ગાંધીનો વિકાસ અને તેમનો ઓસરતો જતો કરિશમા તેમના અનુભવનો અભાવ વગેરે વિશે લખવામાં આવ્યું હતું. તે ઉપરાંત સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાની એટલા માટે ના પાડી હતી કારણકે રાહુલ ગાંધીએ તેમને ચેતવણી આપી હતી. રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને ચેતવણી આપી હતી કે, જો તેઓ વડાપ્રધાન બનશે તો તેમને રોકવા માટે રાહુલ ગાંધીને જે કરવું પડશે તે તેઓ કરશે. રાહુલ ગાંધીએ તેમની માતાને નિર્ણય બદલવા માટે 24 કલાકનો સમય પણ આપ્યો હતો. આ ચેતવણીના કારણે સોનિયા ગાંધી રડી પણ પડ્યા હતા. આ ઉપરાંત પણ આ પુસ્તકમાં કોંગ્રેસ પાર્ટીને લગતા ઘણાં ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા.