- ભાજપે પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે ગુજરાતના લોકોના ખિસ્સામાંથી અબજો રૂપિયા લૂંટી લેવા: ઇસુદાન ગઢવી
- જે લોકોને 1500 થી 1800 રૂપિયા બિલ આવતું હતું તે લોકોને હવે 3000-4000 રૂપિયા બિલ આવે છે: ઇસુદાન ગઢવી
- આવતીકાલે આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટર મુદ્દે તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપશે: ઇસુદાન ગઢવી
- અમારી માંગણી હશે કે ભાજપ સ્માર્ટ મીટરની યોજના રદ કરે અને 300 યુનિટ ફ્રી વીજળી આપે: ઇસુદાન ગઢવી
- દિલ્હી-પંજાબની ‘આપ’ સરકાર ફ્રી વીજળી આપે છે તે જ રીતે ગુજરાતમાં પણ મહિને 300 યુનિટ ફ્રિ વીજળી આપવી જોઇએ: ઇસુદાન ગઢવી
- સ્માર્ટ મીટરમાં જેટલું પ્રિપેડ રિચાર્જ કર્યું હશે એટલી વીજળી વાપરવા મળશે અને રિચાર્જ ખતમ થયા પછી વીજળી બંધ થઈ જશે: ઇસુદાન ગઢવી
- જો ભાજપ આ યોજનાને રદ નહીં કરે તો આગામી સમયમાં અમે મોટું જન આંદોલન કરીશું: ઇસુદાન ગઢવી
- જરુર પડી તો મીટરો લગાવવામાં પણ નહીં દેવામાં આવે. અને તો પણ સરકારે સ્માર્ટ મીટરની યોજના રદ ના કરી તો મીટરો અમારા દ્વારા કાપી નાખવામાં આવશે: ઇસુદાન ગઢવી
- નરેન્દ્ર ભાઈએ ખેડૂતોને ભાવ ન આપ્યો, રોજગારી ન આપી શક્યા, પેપર લીક અટકાવી ન શક્યા, અને હવે સ્માર્ટ મીટરના નામે તમારા ઘરેથી તમને લૂંટી જશે: ઇસુદાન ગઢવી
- જો હજુ પણ તમે મોદી ભક્તિ કરતા રહેશો, તો તેઓ બીજી નવી સ્માર્ટ મીટર જેવી સ્કીમ લાવશે: ઇસુદાન ગઢવી
Gujarat: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારીએ એક ગંભીર મુદ્દા પર પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ઈસુદાનભાઈ ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપે જે પ્રી-પ્લાન કરીને ગુજરાતના લોકોને ચૂંટણી બાદ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો તે હવે હકીકત થવા જઈ રહ્યો છે. એક બાજુ દિલ્હીમાં મહિને 200 યુનિટ અને પંજાબમાં મહિને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી મળે છે અને બીજી બાજુ ગુજરાતમાં ભાજપ સરકારે લોકોને સ્માર્ટ મીટરના નામે લૂંટવાની તૈયારીઓ કરી લીધી છે. નરેન્દ્ર મોદીજીએ આખા દેશમાં સ્માર્ટ મીટર લગાવવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં ગુજરાતમાં પણ 1.65 કરોડ લોકોને સ્માર્ટ મીટર આપવાનું નક્કી કર્યું છે.
- નીચલો અને ગરીબ અને મધ્યમ વર્ગ વીજળીથી વંચિત રહી જાય અથવા લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલાય તેનો આ કારસો છે: સાગર રબારી
- ચીનથી સોલર પેનલ આયાત કરવાની મોનોપોલી સરકારના સૌથી મોટા માનિતા મિત્ર અદાણી પાસે છે, માટે સરકાર લોકોને સોલર તરફ ધકેલવા માંગે છે: સાગર રબારી
- સ્માર્ટ મીટરના નામે હજારો કરોડ રૂપિયા લોકોના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી-ટોરેન્ટના ખિસ્સામાં જશે, આ સ્માર્ટ મીટરની ઉઘાડી લૂંટ છે: સાગર રબારી
- ફિક્સ ચાર્જ ₹25 દરેક બિલમાં જોવા મળે છે. મતલબ કે દર બે મહિને 25 કરોડ રૂપિયા કંઈ કર્યા વગર ભાજપ સરકાર માનીતા ઉદ્યોગપતિ મિત્રોને અપાવે છે: સાગર રબારી
- સરકારના વીજળી વિભાગ, ટોરેન્ટને અને અદાણી પાવરને પણ હું ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં જો ભૂલ હોય તો જાહેર મંચમાં મીડિયાની સામે આપણે બેસીએ અને ગણતરી કરીએ: સાગર રબારી
સ્માર્ટ મીટરમાં ત્રણ મુખ્ય વસ્તુઓ છે કે પહેલા એડવાન્સમાં પૈસા ભરો પછી વીજળી વાપરો.
મતલબ કે જેટલું પ્રિપેડ રિચાર્જ કર્યું હશે એટલી વીજળી વાપરવા મળશે અને રિચાર્જ ખતમ થયા પછી વીજળી બંધ થઈ જશે. મતલબ કે 1.65 કરોડ લોકો એડવાન્સમાં 500-700 કરોડ રૂપિયા ભરશે. બીજી વસ્તુ કે સ્માર્ટ મીટરમાં ઘણી ખામીઓ છે. આજે મને જાણવા મળ્યું કે વડોદરામાં નવ લાખ રૂપિયાનું બિલ આવવાનું શરૂ થયું છે. અમારું માનવું છે કે સ્માર્ટ મીટર એ લૂંટ મીટર છે. ભાજપે પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે ગુજરાતના લોકોના ખિસ્સામાંથી અબજો રૂપિયા લઈ લેવા. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં મહિને ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાની વાત કરી હતી ત્યારે ભાજપના લોકો તેને રેવડી કહેતા હતા અને એ ચૂંટણી ડિસેમ્બરમાં પૂરી થઈ ત્યારબાદ જાન્યુઆરીમાં ભાજપે ફરી વીજળીના ભાવમાં વધારો કર્યો અને 7,000 કરોડ વધારે રૂપિયા લોકોના ખીસ્સામાંથી સેવરી લીધા.
હવે સ્માર્ટ મીટરના નામે અને ખાસ કરીને ગરીબ, વંચિત અને શોષિત લોકોને જે લોકો પોતાનો ઘર મહેનત મજૂરી કરીને ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર વીજળી નહીં મળે. સામાન્ય મીટરમાં જો આપણે વીજળીનું બિલ લાવ્યા પછી થોડા સમય બાદ પણ બિલ ભરીએ તો ચાલતું હતું પરંતુ માની લો કે તમારા ઘરમાં બાળક પંખા નીચે સૂઈ રહ્યું છે, અને સ્માર્ટ મીટરનું રિચાર્જ ખતમ થઈ ગયું તો વીજળી જતી રહેશે. અને ત્રીજી સૌથી મોટી બાબતે છે કે સ્માર્ટ મીટરમાં લોકોને ડબલ અને ત્રીપલ બીલ આવવા લાગ્યા છે. જે લોકોને 1500 થી 1800 રૂપિયા બિલ આવતું હતું તે લોકોને હવે ત્રણ-ચાર હજાર રૂપિયા બિલ આવે છે.
હાલ તમામ લોકોને ખ્યાલ છે કે વીજળી વગર કોઈ રહી શકશે નહીં માટે ભાજપે મોટું ષડયંત્ર રચ્યું છે
અને આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે. અત્યાર સુધી વડોદરા, સુરત, સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી વિરોધ પણ નોંધાવ્યો છે. સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે. આવતીકાલે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપશે. અમારી માંગણી હશે કે ભાજપ સ્માર્ટ મીટરની યોજના રદ કરે અને જે રીતે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ફ્રી વીજળી આપે છે તે જ રીતે ગુજરાતમાં પણ મહિને 300 યુનિટ ફ્રિ વીજળી આપે. જો ભાજપ આ યોજનાને રદ નહીં કરે તો આગામી સમયમાં અમે મોટું જન આંદોલન કરીશું, રસ્તા ઉપર ઉતરીશું, સ્માર્ટ મીટર બોયકોટનું આંદોલન કરીશું, મીટરો લગાવવામાં પણ નહીં દેવામાં આવે. અને તો પણ સરકારે સ્માર્ટ મીટરની યોજના રદ ના કરી તો મીટરો અમારા દ્વારા કાપી નાખવામાં આવશે. અમે ગુજરાતના લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની સાથે ઉભી છે.
અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દિલ્હીની ભાજપની આઈટી સેલ “અમારું મીટર, સ્માર્ટ મીટર” કેમ્પૈન ચલાવવાની છે. અમે લોકોને આગાહ કરવા માંગીએ છીએ કે આ છેતરામણી કરવાવાળા લોકોથી તમે ચેતજો. ભાજપના જે નેતાઓ પણ અમારૂ મીટર સ્માર્ટ મીટર કેમ્પેનને ચલાવશે તેમને જનતા પોતાની સોસાયટીમાં ઘુસવા પણ નહીં દે. હાલ સ્માર્ટ મીટર મુદ્દે પ્રજા ખૂબ જ રોષે ભરાઇ છે. અને જે લોકો નરેન્દ્રભાઈ મોદીથી અંજાઈ ગયા છે હું તેમને કહેવા માગું છું કે નરેન્દ્ર ભાઈએ ખેડૂતોને ભાવ ન આપ્યો, રોજગારી ન આપી શક્યા, પેપર લીક અટકાવી ન શક્યા, અને હવે સ્માર્ટ મીટરના નામે તમારા ઘરેથી તમને લૂંટી જશે અને જો હજુ પણ તમે મોદી ભક્તિ કરતા હશો તો તેઓ બીજી નવી સ્કીમ લાવશે. જો ચાર જૂન સુધી આ પ્રોજેક્ટ રદ્દ નહીં થાય તો અમે સિગ્નેચર કેમ્પેઇન શરૂ કરીશું.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારીએ સ્માર્ટ મીટરની લૂંટ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતા જણાવ્યું કે, સ્માર્ટ મીટરની લૂંટની આખી આ યોજના એવી છે કે આની શરૂઆત 2012-13 થઈ ગઈ હતી. ભાજપે ખાનગી પાવર પ્લાન્ટો સાથે 25 વર્ષના કરાર કર્યા હતા. એ કરાર તોડીને અને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એ માટે ફ્યુલ એડજેસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કર્યો હતો. જો તમે 2008-09 કે 10 ના બિલ જોશો તો તમને ક્યારેય આ સમસ્યા દેખાશે નહીં. ગુજરાત સરકારે જે નક્કી કરેલા ભાવ છે તે ટોરેન્ટ પાવરના બિલમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે 50 યુનિટ સુધી એક યુનિટના 3.20 રૂપિયા છે. 51 યુનિટ થી 200 યુનિટ સુધી યુનિટનો ભાવ છે 3.95 રૂપિયા હતો. હાલ મારા હાથમાં એક વીજળીનું બિલ છે જેમાં ફક્ત 78 યુનિટ વપરાયા છે, અને બિલની રકમ છે 670 રૂપિયા. જો ભાગાકાર કરીશું તો ખ્યાલ આવશે કે એક યુનિટ આઠ રૂપિયા અને 58 પૈસામાં પડે છે. આ 670 રૂપિયામાં 285.40 રૂપિયા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો છે. મૂળ વીજળી વપરાશ થાય છે ફક્ત 270 રૂપિયા. અને 285 રૂપિયાના ફ્યુલ એડજેસ્ટમેન્ટ ચાર્જ ઉપર 15% સરકારી કર લગાવવામાં આવ્યો છે. એટલે કુલ રકમ થઈ 328 રૂપિયા અને 30 પૈસા. અને આ સરેઆમ ઉઘાડી લૂંટ છે. ગુજરાત સરકારના પ્રાવધાનમાં ક્યારેય પણ આની જોગવાઈ ન હતી પરંતુ આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટના લાભાર્થે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી મસમોટી રકમ શેરવાઈ જાય છે.
સાથે સાથે બિલમાં 500 થી 1000 રૂપિયાની ડિપોઝિટ રકમ પણ હશે. અને આ ડિપોઝિટ લીધા પછી ફિક્સ ચાર્જ ₹25 દરેક બિલમાં જોવા મળશે. જો તમે એક કરોડ લોકોની પણ વાત કરો તો દર બે મહિને 25 કરોડ રૂપિયા કંઈ કર્યા વગર ગુજરાત સરકાર માનીતા ઉદ્યોગપતિ મિત્રોને અપાવે છે. આવકની અસમાનતા વધતી જાય છે કારણ કે ઉદ્યોગપતિઓ રાત દિવસ ધન એકઠું કરતા જાય છે અને મધ્યમ વર્ગ દિવસેને દિવસે ચૂસાતો જાય છે, એનો આ ઉત્તમ દાખલો છે.
સ્માર્ટ મીટરની લૂંટ કેટલી મોટી હશે તેના પર આપણે થોડું ધ્યાન આપીએ તો હાલ હું જે આંકડા રજૂ કરી રહ્યો છું
તે 2022 ના ગુજરાત સરકારના અધિકૃત આંકડા છે. એક કરોડ 43 લાખ 74 હજાર 372 ઘરવપરાશના મીટરો ગુજરાતમાં લાગેલા છે. જો એક મીટરમાં તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવો તો 1437 કરોડ ૪૩ લાખ ૭૨ હજાર રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે. આ સ્માર્ટ મીટરની ઉઘાડી લૂંટ છે. આમાંથી સરકારને 15% લેખે 3234 કરોડ 23 લાખ 37,000 રૂપિયા મળશે. આ તમામ ગણતરી બિલના આધારે ગણતરી કરી છે મતલબ કે આમાં કોઈ કાલ્પનિક આંકડાઓ નથી.
હાલ સરકારના નક્કી કરાયેલા રેટ પ્રમાણે ત્રણ અલગ અલગ સ્લેબમાં વીજળીના ભાવ છે
પરંતુ સ્માર્ટ મીટર આવ્યા બાદ સાંભળવા મળી રહ્યું છે કે તમામ વીજળીના ભાવ પાંચ રૂપિયા પ્રતિ યુનિટ કરી દેવાનો ખેલ છે. આનાથી નીચલો અને ગરીબ અને મધ્યમ વર્ગ વીજળીથી વંચિત રહી જશે અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે. કારણ કે ચીનથી સોલર પેનલ આયાત કરવાની મોનોપોલી સરકારના સૌથી મોટા માનિતા મિત્ર અદાણી પાસે છે. ગુજરાતની અને દેશની જનતા ઉઘાડી લૂંટાઈ રહી છે અને આ લૂંટ માત્રને માત્ર ગુજરાતની જનતાના ભોળપણના કારણે થઈ રહી છે અને વાસ્તવિક આંકડાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે તેમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે. હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગ અને ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં જો ભૂલ હોય તો જાહેર મંચમાં મીડિયાની સામે આપણે બેસીએ અને ગણતરી કરીએ અને જે સાચું હોય તે લોકોને જણાવીએ.