Surat: સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ગરમાટોચાલી રહ્યો છે. સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે સુરતની ક્રાઈમ બ્રાન્ચ પણ ચાંપતી રીતે શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. સુરત ડીસીબીએ હિન્દુ નેતાઓને મારી નાંખવાની ધમકી આપનારા સુરત જિલ્લાના કઠોર ગામના મૌલ્વીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આગામી લોકસભા ચુંટણી-2024 સંદર્ભે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને તકેદારી રાખવા અંગે સુરતનાં પોલીસ કમિશનરે સુરત શહેર ક્રાઇમબ્રાંચને સુચના આપી છે. પોલીસ કમિશનરની સૂચના અંતર્ગત સંયુકત પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાં માર્ગદર્શન હેઠળ ડીસીબીના પોલીસ ઇનસ્પેકટરની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી સુરત શહેર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવામાં આવેલ હતુ.આ દરમિયાન ક્રાઇમબ્રાંચને મળેલી બાતમી આધારે મહંમદ મૌલ્વી સોહેલ અબુબકર ટીમોલ ઉ.વ.27, રહેવાસી-બી- 1/203, સ્વાગત રેસિડેન્સી અંબોલી, કઠોર ગામ, તા-કામરેજ જિલ્લો-સુરત મુળરહે-દેવળફળીયુ, નવાપુર જી-નંદુરબાર (મહારાષ્ટ્ર)ને ચોકબજાર ભરીમાતા ફુલવાડી ખાડી રોડ આઇકરા એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત જિલ્લાનાં કઠોરગામમાં આવેલા મદ્રેસામાં હાફિઝ અને આલીમ બન્યા છે. કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનુ ખાનગી ટ્યુશન ચલાવે છે તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ મૌલવીની પ્રાથમિક પુછપરછ તથા તેમની પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ કરતા
તેઓ છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનનાં મોબાઈલ નંબર +92 3007306635 ના ધારક ડોગર તથા નેપાળના મોબાઈલ નંબર, +977 9819717763 નાં ધારક શેહનાઝ નામના ઈસમો સાથે સોશિયલ મીડીયા મારફતે સંપર્ક આવ્યા હતા. આ હકીકત જણાઈ આવતા સોહેલ ઉર્ફે મૌલ્વીને વ્હોટ્સએપ તથા અન્ય સોશિયલ મીડીયાના માધ્યમથી સંપર્કમાં રહી “ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે તેઓને સીધા કરવાની જરૂર છે” તેવી ઉશ્કેરણી કરી મૌલ્વીને હિન્દુવાદી સંગઠનોનાં અગ્રહણીઓને ધમકી આપવા જણાવીને પોતાની ઓળખ છતી ન થાય તે હેતુથી લાઓસ દેશનો એક ઈન્ટરનેશનલ સીમ નંબર ગેરકાયદેસર રીતે મેળવી આપ્યો હતો.
આ મોબાઇલમાં વ્હોટ્સએપ બિઝનેસ નંબર એકટીવ કરાવડાવી તેના મારફતે હિન્દુવાદી નેતા તથા સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસીંગ તથા સુદર્શન ન્યૂઝ ચેનલના એડીટર ઈન ચીફ સુરેશ ચવ્હાણ તથા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરૂ ઘડ્યું હોવાનું જણાય આવ્યું હતું.
પોલીસ સૂત્રો મુજબ મહમદ સોહેલ ઉર્ફે મૌલ્વી કાવતરાના ભાગ રૂપે ગેરકાયદેસર રીતે મેળવેલા લાઓસ દેશના વ્હોટ્સ એપ નંબર +8562096135910 થી “હિન્દુધર્મ વિરૂધ્ધ ઉશ્કેરણીના ઉચ્ચારણો લખી” ઉપદેશ રાણાને અવાર નવાર કમલેશ તિવારીની જેમ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમના ગ્રુપના એક સભ્યને ઉપદેશ રાણાનો ફોટો મોકલી ઉપદેશ રાણાની હત્યા કરવા માટે એક કરોડમાં સોપારી આપી હોવાનું ખૂલ્યું હતું.
વિગતો મુજબ મહમદ સોહેલ ઉર્ફે મૌલ્વીએ બે કોમ વચ્ચે કૌમી વૈયમનસ્ય ફેલાવવાના ઇરાદે પોતાના ગ્રુપમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતદેશના રાષ્ટ્રધ્વજના ફોટામા ચેડા કરી તેમજ હિન્દુ ધર્મ બાબતે કરેલ પોસ્ટ કે વિડીયો ઉપર અભદ્ર કોમેન્ટ કરી છઠ્ઠી ડિસેમ્બર બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટાઓ તથા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો-ચલ ચિત્રોને બિભત્સ રીતે મોર્ફ કરી સોશિયલ મીડીયાના પોતાના ગ્રુપમાં પોસ્ટ કરી ખોટો ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભો કરી વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો મંગાવ્યા હતા તથા (+92-પાકિસ્તાન), (+84-વિયેતનામ) (+22-ઇન્ડોનેશિયા), (+26- કઝાકિસ્તાન), (+856-લાઓસ) વિગેરે અલગ અલગ દેશના કોડવાળા વ્હોટ્સએપ નંબરના ધારકો સાથે સંપર્કમાં હોવાનું જણાઈ આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે.
મહમદ સોહેલ ઉર્ફે મૌલ્વીની વિરુદ્વમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો કલમ. 153(એ), 467, 468,471, 120(બી) તથા ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ.66(ડી), 67, 67(એ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે.