રાજ્યમાં જે પ્રકારે થોડાક દિવસ આગાઉ રામનવીમના શોભાયાત્ર દરમિયાન થયેલા પથ્થરમારાને પગલે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જેને લઇ કોંગ્રેસનું પ્રતિનિધમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલને રજૂઆત કરવા પહોંચ્યા છે હાલમાં રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે કોંગ્રેસ ચિંતા વ્યકત કરી રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી અને બીજા મુદ્દા કોંગ્રેસ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ખોટા કેસ કરવામા આવેલી ધરપકડ લઇ આવેદન પત્ર આપ્યુ હતુ જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિપક્ષ નેતા સુખરામ રાઠવા પ્રદેશ પ્રભારી રઘુશર્મા સહિત કોંગ્રેસ ધારાસભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસ સરકાર નિશાનો સાંધ્તા જણાવ્યુ હતુ કે ચૂંટણી પહેલા કેટલાક લોકો દ્ગારા ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રત્યન કરી રહ્યા છે ખંભાત હિંમતનગર હિંસા કાવતરૂ સુનોયજિત લાગે છે.
જે ભાજપ સરકારના ઇશારે થયો હતો જેને અમે વખોડિયે છે તો આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુશર્માએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે લોકોનો સમસ્યાઓ પરથી ભટકાવાનું ષડયંત્ર કરી રહી છે સરકાર ચૂંટણી આવશે ત્યારે કોમી તોફાનો ઉભો કરશે જે ભાજપની પેર્ટન રહી છે ચૂંટણી પહેલા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભાજપ ઇશારે છમકલાઓ થઇ રહ્યા છે જે રાજ્કીય સ્ટંટ છે