અમદાવાદઃ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ગઈ. ગુજરાતની છ મહા નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો રંગ છપાયો હતો. જોકે, હવે આ છ મહા નગરપાલિકાના મેયર પદ ઉપર કોણ બિરાજશે એ મોટો પ્રશ્ન લોકોના મનમાં ચૂંટણી પણ રહેલો હતો. જોકે, હવે આ પ્રશ્નો આજે બુધવારે જવાબ મળવાની સંપૂર્ણ શક્યતા ઓ છે.
ગુજરાતના રાજ્યના ત્રણ શહેરોમાં નવા મેયર કોણ તે સવાલ મોટો સવાલ હતો. એટલે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરના નામની આજે વિધિવત રીતે જાહેરાત કરી દેવાશે. સાથે જ આ ત્રણેય મનપાના નવા હોદ્દેદારોના નામોની આજે જાહેરાત કરાશે.
જેમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરાશે. પાછલા કેટલાય સમયથી નવા હોદ્દેદારોના નામોને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી. જોકે આ તમામ અટકળો પર આજે પૂર્ણ વિરામ વાગી જશે.
અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપાની આજે મળનારી સામાન્ય સભામાં વિવિધત રીતે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તથા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામો જાહેર કરાશે. આગામી 12મી માર્ચે સુરત, રાજકોટ અને જામનગર મનપાના નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરાશે.