ગુજરાતના દરેક સમાજ આજે ભાજપ સરકારની વિરુદ્ધમાં ઊભા છે: ગોપાલ ઇટાલિયા
27 વર્ષના શાસન દરમિયાન ભાજપ સરકારે દરેક સમાજને છેતરવાનું કામ કર્યું છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ બધા સમાજને ફક્ત વોટ બેંકની નજરે જ જુએ છે: ગોપાલ ઇટાલિયા
ચૂંટણી બાદ ભાજપ હંમેશા બધા સમાજને ભૂલી જાય છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકારે દરેક સમાજના અધિકારોનું અને સન્માનનું હનન કર્યું છે: ગોપાલ ઇટાલિયા
આજે ગુજરાતના તમામ સમાજ એક સુરે ભાજપનો વિરોધ કરી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા
દરેક સમાજના લોકોએ આ ચૂંટણીમાં ભાજપને સત્તાથી બેદખલ કરવાનો નિર્ધાર કર્યો છે: ગોપાલ ઇટાલિયા
પ્રજાપતિ સમાજની વસ્તી 55 લાખથી વધુ છે અને ભાજપે પ્રજાપતિ સમાજનો ફક્ત ચૂંટણી પૂરતો જ ઉપયોગ કર્યો છે: ગોપાલ ઇટાલિયા
ભાજપે વિપુલ ચૌધરીની ધરપકડ કરાવીને ઉત્તર ગુજરાતમાંથી ચૌધરી સમાજના પ્રતિનિધિત્વને ખતમ કરવાનું કામ કર્યું છે: ગોપાલ ઇટાલિયા
ભાજપના કુશાસનના કારણે ગુજરાતમાં માલધારી સમાજની સમસ્યાઓ અત્યારે ચરમ પર છે: ગોપાલ ઇટાલિયા
ભાજપે માલધારી સમાજની ગોચર જમીનનો પોતાના મળતીયાઓને આપી દીધી છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકારના ઇશારે પોતાની ગાયો અને તબેલા બચાવવા વચ્ચે પડેલ માલધારી સમાજની બહેન દીકરી ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકાર વારંવાર માલધારી સમાજના હક્કો છીનવી રહી છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકાર દલિત હત્યારી સરકાર છે જેમણે દલિતોને વોટબેંક સિવાય માણસ પણ સમજ્યા નથી: ગોપાલ ઇટાલિયા
સર્વે પ્રમાણે કહેવાય છે કે દરેક 18 મિનિટે દલિત વિરુદ્ધ એક અપરાધ થાય છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકારે ક્યારેય દલિતોને રાહત મળે, સન્માન મળે, અધિકારો મળે તે માટે કોઈ પગલાં ભર્યા નથી: ગોપાલ ઇટાલિયા
ગુજરાતમાં ભાજપ સરકાર પોતે જ દલિતોને ઉત્પિડનનો ભોગ બનાવે છે જે જાતિગત હિંસા અને છૂત-અછૂતનો મામલો છે: ગોપાલ ઇટાલિયા
દલિત સમાજના લોકો ગુજરાત તો શું ભારતમાં કોઈ પણ ખૂણે સુરક્ષિત નથી: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકાર દલિત વિરોધ થનારા અપરાધો પર કોઈ પગલાં ભરે તો અત્યાચારો રોકી શકાય છે, પરંતુ હજી પણ સેંકડો ગામ એવા છે જ્યાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
ઘણી જગ્યાએ દલિત સમાજના લોકોને બીજા સમાજના લોકો સાથે વાત કરવાની, તેમની સાથોસાથ બેસવાની કે તેમને અડવાની પણ છૂટ નથી: ગોપાલ ઇટાલિયા
અમુક નીચી વિચારધારા વાળા લોકો દલિતોને દબાવવાના પુરા પ્રયત્નો કરે છે અને આવા લોકોને ભાજપ સરકારનું સંરક્ષણ મળેલું છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકારે હંમેશા આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન પરના સંસાધનો અને તેમના વોટ ઉપર ખરાબ નજર રાખી છે ક્યારેય આદિવાસી સમાજના વિકાસ માટે કોઈ પગલાં ભર્યા નથી: ગોપાલ ઇટાલિયા
પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ તેઓએ આદિવાસી સમાજ સાથે વોટ પડાવા સિવાય બીજો કોઈ મતલબ રાખ્યો નથી: ગોપાલ ઇટાલિયા
સારું શિક્ષણ એ દેશના ભવિષ્યનો પાયો છે છતાંય આદિવાસી સમાજના ક્ષેત્રમાં જેટલા પણ ગામડાઓ આવે છે ત્યાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે: ગોપાલ ઇટાલિયા
આદિવાસી ગામડાઓમાં એક પણ સારું આરોગ્ય કેન્દ્ર નથી કે ના સારા રોડ રસ્તાઓ છે જે આદિવાસી સમાજને બીજા શહેરોથી જોડી શકે: ગોપાલ ઇટાલિયા
27 વર્ષથી ભાજપ સરકારે ગુજરાતના આદિવાસીઓ માટે બંધારણની અનુસૂચિ પાંચ અને પેસા કાનૂન લાગુ નથી કર્યા: ગોપાલ ઇટાલિયા
આદિવાસી સમાજને પછાત રહી જવામાં ભાજપ સરકારનો ખૂબ મોટો હાથ છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકારના શાસનમાં ‘ટ્રાયબલ એડવાઈઝરી કમિટી’ના ચેરમેન પોતે મુખ્યમંત્રી જ છે: ગોપાલ ઇટાલિયા
કારડીયા સમાજની માંગણી છે કે કારડીયા સમાજનો OBC કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે: ગોપાલ ઈટાલિયા
કોળી સમાજ છેલ્લા 5 વર્ષથી ભાજપ સરકાર સામે પોતાની 4 માંગણીઓ મૂકી રહ્યો છે: ગોપાલ ઈટાલિયા
કોળી સમાજની ગુજરાતમાં મોટા શહેરમાં હોસ્ટેલ બનાવવા જમીનની માંગણી , 20 ટકા અનામત, નિગમમાં 500 કરોડની ફાળવણી અને કોળી સમાજનાં આરાધ્ય દેવ માંધાતા દેવના મંદિર માટે જગ્યા ભાજપ સરકારે પુરી પાડી નથી: ગોપાલ ઈટાલિયા
સારી શિક્ષણ વ્યવસ્થા, સમાજમાં શૈક્ષણીક લોનનો વધારો, વિદેશ ભણવા જવા માટે રુ.20 લાખની માંગણી અને વચેટીયાનાં ત્રાસને કારણે નિગમમાં પણ નિમણુંકની પણ માંગણી કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે: ગોપાલ ઈટાલિયા
સારું શિક્ષણ મેળવવા નાનાં વિસ્તારમાંથી મોટા શહેરમાં શિક્ષણ મેળવવા આવતું યુવાધન શહેરમાં ક્યાં રહેશે એ અંગે સરકારે પુરતી વ્યવસ્થા કરી નથી: ગોપાલ ઈટાલિયા
ભાજપ સરકારે અત્યાર સુધી સમાજને સારું શિક્ષણ મળે અને સારું ભણીને વિદેશ જવાની તકો ઉભી થાય એવું એક પણ કામ કર્યું નથી: ગોપાલ ઈટાલિયા
દેવીપૂજક સમાજ સારું શિક્ષણ, અસ્પૃશ્યતા નાબુદી, રહેઠાણ અને રોજગારથી વંચિત: ગોપાલ ઈટાલિયા
દેવીપુજક સમાજનાં ઉત્કર્ષ માટે ભાજપ સરકારે હજું સુધી કૈં કર્યું નથી: ગોપાલ ઈટાલિયા
આધારકાર્ડ, રાશનકાર્ડ એ વિસ્તારનાં હોવા છતાં ઘણાં ગામોમાં આવાસ ન હોવાને કારણે રાશન પણ આપવામાં આવતું નથી: ગોપાલ ઈટાલિયા
દરેક સમાજને માન સન્માન આપીને એક સાથે આગળ વધવાના લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી રાજનીતિમાં પ્રવેશી છે: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપના કુશાસનના કારણે ગુજરાત રાજ્યમાં એક પણ એવો સમાજ નથી બચ્યો, જે આજે ભાજપથી ખુશ હોય. ભાજપે દરેક સમાજનો ફક્ત અને ફક્ત ચૂંટણી પૂરતો ઉપયોગ જ કર્યો છે. કોળી સમાજ હોય, દેવીપૂજક સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, દલિત સમાજ હોય, કારડીયા સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે માલધારી કે રબારી સમાજ હોય. આજે દરેક સમાજ ભાજપથી ત્રાસી ગયો છે. એટલા માટે આ ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણની શરૂઆત થઈ ગઈ છે.
આજે સમગ્ર ગુજરાતમાં દરેક સમાજના લોકો ઠેર ઠેર શિબીરો અને મીટીંગોનું આયોજન કરી રહ્યા છે અને દરેક જગ્યા પર ફક્ત એક જ વાત થઈ રહી છે કે “અત્યાર સુધી ભાજપને મત આપ્યા છતાં ભાજપે દશકોથી આપણી સાથે છેતરપિંડી જ કરી, પણ આ ચૂંટણીમાં ભાજપને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે.” આ બધા સમાજ કોઈપણ પક્ષને સત્તામાં બેસાડવા અને સત્તાથી હટાવવામાં સક્ષમ છે, તો પણ ભાજપે આ કોઈપણ સમાજના લોકોનું ધ્યાન રાખ્યું નથી અને તેમની સમસ્યાઓને સાંભળવાનો સમય પણ ફાળવ્યો નથી. ભાજપના આવા વ્યવહારના કારણે તેની અસલિયત આજે ગુજરાતના દરેક સમાજના લોકો જાણી ગયા છે. આ જ કારણે દરેક સમાજના લોકોએ આ ચૂંટણીમાં ભાજપને સત્તાથી બેદખલ કરવાનો નિર્ધાર કર્યો છે.
ગુજરાતમાં વસ્તીના ધોરણે કુંભાર/પ્રજાપતિ ત્રીજા નંબરની જ્ઞાતિ ગણાય છે. પ્રજાપતિ સમાજનો મોટો વર્ગ માટી કામ કરે છે, જે આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે નબળો સમાજ છે. આજે પ્રજાપતિ સમાજની વસ્તી 55 લાખથી વધુ છે અને ભાજપે પ્રજાપતિ સમાજનો ફક્ત ચૂંટણી પૂરતો જ ઉપયોગ કર્યો છે. જ્યારે પણ સમાજના મુદ્દાઓની વાત આવે ત્યારે ભાજપે પ્રજાપતિ સમાજના કોઈ મુદ્દા પર ધ્યાન આપ્યું નથી અને જેના કારણે આજે આખા પ્રજાપતિ સમાજમાં ભાજપ માટે ખૂબ જ નારાજગી છે અને આવનાર ચૂંટણીમાં ભાજપને સમક્ષ શીખવાડવાનું નક્કી કર્યું છે.
ગુજરાતની રાજનીતિમાં ચૌધરી સમાજ એક મહત્વપૂર્ણ સમાજ કહેવાય છે, પરંતુ આજે ચૌધરી સમાજના રાજનૈતિક પ્રતિનિધિત્વને ખતમ કરવાનું આયોજન ભાજપે કર્યું છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીનો ઉત્તર ગુજરાતમાં ખૂબ જ દબદબો હતો અને તેઓ હંમેશા ચૌધરી સમાજ માટે કાર્યરત રહેતા હતા. છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરીએ ભાજપ વિરુદ્ધ બાંયો ચડાવી હતી. વિપુલ ચૌધરી ઇચ્છતા હતા કે ભાજપની અસલિયત અને ભાજપ એ કરેલા ભ્રષ્ટાચારો જનતાની સામે આવે. એટલા માટે આજે ભાજપે વિપુલ ચૌધરીની ધરપકડ કરાવી અને ઉત્તર ગુજરાતમાંથી ચૌધરી સમાજના પ્રતિનિધિત્વની ખતમ કરવાનું કામ કર્યું છે. ભાજપના બીજા નેતાઓએ હંમેશા ચૌધરી સમાજના વોટ લેવા માટે જ સમાજનો ઉપયોગ કર્યો છે પરંતુ ચૂંટણી પછી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી અને એ જ કારણે આજે બાકી સમાજની જેમ ચૌધરી સમાજ પણ ભાજપથી અત્યંત નારાજ છે.
ગુજરાતમાં માલધારી સમાજની સમસ્યાઓ અત્યારે ચરમ પર છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે માલધારી સમાજની ગોચર જમીનનો પોતાના મળતીયાઓને આપી દીધી છે અને આજે માલધારી સમાજ પાસે પોતાની ગાયો રાખવા માટે પણ પૂરતી જગ્યાઓ બચી નથી. થોડા સમય પહેલા જ માલધારી સમાજના તબેલાઓની ગાયોને માર મારવાની ઘટના ઘટી હતી અને તેના વિરોધમાં જ્યારે માલધારી સમાજના લોકો પોતાની ગાયોને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે પુરુષોની સાથે સાથે મહિલાઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી અને આ ઘટનાથી આખા ગુજરાતના માલધારી સમાજમાં ભાજપ સરકાર વિરુદ્ધ ખૂબ જ ગુસ્સો છે. ભાજપ સરકાર વારંવાર માલધારી સમાજના હક્કો છીનવી રહી છે અને એટલા માટે જ આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં માલધારી સમાજ આજે ભાજપ સરકારની વિરુદ્ધમાં ઉભો થઈ ગયો છે.
ભારતને આઝાદ થયા 75 વર્ષ થઈ ચૂક્યા છે અને હમણાં જ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ મનાવ્યો છે. પરંતુ આજ દિન સુધી દલિત સમાજને ભોગવવી પડતી સમસ્યાઓ ત્યાં ને ત્યાં જ છે. આજે પણ ભારતમાં એક પણ એવું ગામડું નથી જ્યાં એવું કહી શકાય કે દલિત સમાજ સાથે ભેદભાવ થતો નથી કે દલિત સમાજના લોકોને છૂત-અછૂતનો સામનો કરવો પડતો નથી. બાબાસાહેબ આંબેડકરે દલિત સમાજના ઉદ્ધાર માટે, દલિત સમાજ આગળ આવે તે માટે અને દલિત સમાજની સમસ્યાઓ પણ સાંભળવામાં આવે તે માટે ભારતના બંધારણમાં અલગથી કાયદાઓ બનાવ્યા છે. છતાંય આજે પણ દલિત સમાજના લોકોને ઘણી બધી જગ્યાએ મંદિરમાં જવાની, મૂછો વધારવાની, લગ્ન પ્રસંગે ઘોડી પર ચડવાની, બીજા સમાજના લોકો સાથે વાત કરવાની, તેમની સાથોસાથ બેસવાની કે તેમને અડવાની પણ છૂટ નથી, ઘણી વખત દલિત સમાજના હોવાના કારણે યોગ્ય વ્યક્તિને રોજગાર મળવામાં પણ આપત્તિ અનુભવવી પડે છે. સર્વે પ્રમાણે કહેવાય છે કે દરેક 18 મિનિટે દલિત વિરુદ્ધ એક અપરાધ થાય છે. જેને આપણે પૂરેપૂરી એન્ટી-આંબેડકર નીતિ કહી શકાય. જેનો મતલબ છે કે દલિત ગુજરાત તો શું ભારતમાં કોઈ પણ ખૂણે સુરક્ષિત નથી.
અમુક નીચી વિચારધારા વાળા લોકો દલિતોને દબાવવાના પુરા પ્રયત્નો કરે છે અને આવા લોકોને ભાજપ સરકારનું સંરક્ષણ મળેલું છે. જો ભાજપ સરકાર દલિત વિરોધ થનારા અપરાધો પર કોઈ પગલાં ભરે તો આ બધું રોકી શકાય છે, પરંતુ હજી પણ સેંકડો ગામ એવા છે જ્યાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવે છે. ભારતમાં દરેક રાજ્યમાં દરેક સરકારની અંદર દલિતો ઉપર હિંસા થાય જ છે, પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર પોતે જ દલિતોને ઉત્પિડનનો ભોગ બનાવે છે જે જાતિગત હિંસા અને છૂત-અછૂતનો મામલો છે. ગુજરાતમાં એટ્રોસીટીના કાનૂનમાં જે જોગવાઈ છે તેના અનુસાર ગુજરાતમાં એક પણ સ્પેશિયલ કોર્ટ નથી. દલિત સમાજના આગેવાનોએ પોતાના હક માટે ઘણીવાર વિરોધ પ્રદર્શન કર્યા છે પરંતુ ક્યારેય ભાજપ સરકાર તરફથી દલિતોને રાહત મળે, સન્માન મળે, અધિકારો મળે તે માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. દલિતોએ હંમેશા દરેક ક્ષેત્રમાં અત્યાચાર જ ભોગવવો પડે છે. આ ભાજપ સરકાર દલિત હત્યારી સરકાર છે જેમણે દલિતોને વોટબેંક સિવાય માણસ પણ સમજ્યા નથી.
ગુજરાતમાં આદિવાસી સમાજને ક્યારેય આગળ આવવાનો મોકો મળ્યો જ નથી. પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ તેઓએ આદિવાસી સમાજ સાથે વોટ પડાવા સિવાય બીજો કોઈ મતલબ રાખ્યો નથી. સારું શિક્ષણ એ દેશના ભવિષ્યનો પાયો છે છતાંય આદિવાસી સમાજના ક્ષેત્રમાં જેટલા પણ ગામડાઓ આવે છે ત્યાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આદિવાસી ગામડાઓમાં એક પણ સારું આરોગ્ય કેન્દ્ર નથી કે ના સારા રોડ રસ્તાઓ છે જે આદિવાસી સમાજને બીજા શહેરોથી જોડી શકે. બંધારણમાં આદિવાસી સમાજ માટે અનુસૂચિ પાંચમાં અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ વિશે જોગવાઈ કરવામાં આવેલી છે, છતાંય 27 વર્ષથી ભાજપ સરકારે ગુજરાતના આદિવાસીઓ માટે બંધારણની અનુસૂચિ પાંચ લાગુ કરી નથી.
આદિવાસીઓના ઉદ્ધાર માટે ‘પેસા કાનુન’ બનાવવામાં આવ્યો છે જેમાં આદિવાસીઓ પોતાના જળ, જંગલ, જમીન પર નિયંત્રણ કરી શકે છે છતાં ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજદિન સુધી ‘પેસા કાનુન’ લાગુ કરવામાં આવ્યો નથી. આદિવાસીઓના વિકાસ માટે એક ‘ટ્રાઇબલ એડવાઈઝરી કમિટી’ બનાવવામાં આવેલ છે અને તેનો નિયમ છે કે તે કમિટીના ચેરમેન કોઈ આદિવાસીને જ બનાવવામાં આવે જેથી આદિવાસી સમાજની સમસ્યાઓ વધુ સારી રીતે સમજી શકાય. ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં ‘ટ્રાયબલ એડવાઈઝરી કમિટી’ના ચેરમેન પોતે મુખ્યમંત્રી જ છે. આદિવાસી સમાજને પછાત રહી જવામાં ભાજપ સરકારનો ખૂબ મોટો હાથ છે. ભાજપ સરકારે હંમેશા આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન પરના સંસાધનો અને તેમના વોટ ઉપર ખરાબ નજર રાખી છે ક્યારેય આદિવાસી સમાજના વિકાસ માટે કોઈ પગલાં ભર્યા નથી.
કારડિયા રાજપૂત સમાજના કેટલાક પ્રશ્નો છે અને તે મુદ્દે તેઓ ભાજપ સરકારને વારંવાર રજૂઆત પણ કરી ચુક્યા છે અને આવેદનપત્ર પણ આપી ચુક્યા છે. જેમાં એમની મુખ્ય માંગણી છે કે કારડીયા રાજપૂત સમાજને ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના અનામત અને ઓબીસીને મળતા લાભ આ સમાજને મળતા નથી તેથી આ સમાજની માંગ છે કે તેમનો પણ ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે. પરંતુ ભાજપ સરકારે આ સમાજના લોકોનો ઉપયોગ ફ્કત વોટબેંક માટે કર્યો છે. આજ સુધી તેમના સમાજના આગેવાનને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો નથી.
ભાજપ સરકારે કોળી સમાજ સાથે હંમેશા અન્યાય કર્યો છે, કોળી સમાજનાં નેતાઓને નાના નાના ખાતા આપી દેવાય છે. ભાજપ સરકાર કોળી સમાજની સતત અવગણના કરતું આવ્યું છે. વાવાઝોડા અસરગ્રસ્ત માછીમારોને સરકારે આપેલાં રાહત પેકેજને લઇને પણ મંત્રી પુરુષોતમ સોલંકીએ ભાજપ સરકાર સામે નારાજગી વ્યક્તિ કરી હતી. ભાજપ સરકાર પોતાનાં સ્વાર્થ માટે સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે. ચૂંટણી બાદ ભાજપ સરકાર સદંતરે સમાજને ભૂલી જાય છે. કોળી સમાજનાં આગેવાનો દ્વારા દરેક જિલ્લાઓમાં મીટીંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોળી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકાર સામે પોતાની 4 માંગણીઓ મૂકી રહ્યો છે. આ ચાર માંગણીઓમાં 1. કોળી સમાજને 20 ટકા અનામત આપવાની માંગણી, 2.કોળી-ઠાકોર નિગમમાં 500 કરોડ રુપિયાની ફાળવણી, 3.કોળી સમાજનાં આરાધ્ય દેવા માંધાતા દેવના મંદિર માટે જગ્યાની માંગણી અને 4. ગુજરાતમાં મોટા શહેરમાં હોસ્ટેલ બનાવવા જમીનની માંગણી કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે. સારું શિક્ષણ મેળવવા નાનાં વિસ્તારમાંથી મોટા શહેરમાં શિક્ષણ મેળવવા આવતું યુવાધન શહેરમાં ક્યાં રહેશે એ અંગે સરકારે પુરતી વ્યવસ્થા કરી નથી. કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એ કોળી સમાજના બે ફાંટા પાડી દિધા છે. ભાજપ સરકારે અત્યાર સુધી સમાજને સારું શિક્ષણ મળે અને સારું ભણીને વિદેશ જવાની તકો ઉભી થાય એવું એક પણ કામ કર્યું નથી.
ભાજપ સરકાર એક તરફ ગુજરાતમાં દારુબંધીની વાતો કરે છે અને બીજી તરફ જાહેરમાં દારુનું વેચાણ થાય છે. લઠ્ઠાકાંડ બાદ ગુજરાત ભરનાં યુવાનોએ પોતાનાં વિસ્તારમાં થતાં દારુંનું વેચાણ બાબતે ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. દેવીપૂજક સમાજનાં યુવાનો દ્વારા પણ આ મુદ્દે સોશિયલ મીડિયામાં દારુનાં ગીતો બનાવતા કલાકારો સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. સમાજમાં આજે પણ અસ્પૃશ્યતા છે. આ અસ્પૃશ્યતાને કારણે દેવીપુજક સમાજ લઘુતાગ્રંથી અનુભવે છે. અસ્પૃશ્યતા દૂર કરવા માટે ભાજપ સરકારે સારું શિક્ષણ મળે અને સમરસતાનું શિક્ષણ મળે એવું એક પણ કામ કર્યું નથી. દેવીપુજક સમાજ વર્ષોથી અસ્પૃશ્યતાને કારણે લઘુતાગ્રંથીનો અનુભવ કરે છે. રોજીરોટી માટે છુટક મજૂરીનાં વ્યવસાય સાથે જોડાયેલો છે. તેઓનાં રહેઠાણ માટે શહેરી વિસ્તારમાં ક્વાર્ટસ, ગ્રામ્ય વિસ્તારમાં ઘરથાળ પ્લોટ અને શાકભાજી ઉગાડતા હોય તો જમીનની માંગણી કરી હતી. આ માંગણીઓ હજું પુરી થઇ નથી. આજે આધારકાર્ડ, રાશનકાર્ડ એ વિસ્તારનાં હોવા છતાં ઘણાં ગામોમાં આવાસ ન હોવાને કારણે રાશન પણ આપવામાં આવતું નથી.
1947થી 1976નાં સુધારાધારાને ઉલ્લેખ થકી 2003માં અગમ્ય કારણોસર અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાયા હતા. આ કારણે હજું પણ સમાજનાં લોકો પોતાનાં બાળકોને સારું શિક્ષણ તેમજ નોકરીથી વંચિત રહ્યા છે. સમાજનાં ઉત્કર્ષ માટે ભાજપ સરકારે હજું સુધી કૈં કર્યું નથી. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં દેવીપૂજક સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. સમાજને અનુસુચિત જનજાતિમાં અનામત આપવું, સરકારી આવાસ યોજનાનાં મકાનો આપવા, શિક્ષણ માટે જિલ્લાવાર ગૃહો બનાવવા, સ્વ રોજગાર માટે વાઇબ્રન્ટ સ્માર્ટ માર્કેટની ફાળવણી કરવી નાં વચનો આપીને ભાજપ સરકાર બન્યા પછી બધા વચનો ભૂલી ગઇ હતી.
ગુજરાતમાં દરેક સમાજના લોકો આજે આમ આદમી પાર્ટીને ઉમ્મીદ ભરી નજરોથી જોઈ રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે દરેક સમાજના પ્રશ્નો સમજે છે અને તેમના મુદ્દાઓનું સમાધાન લાવવા માટે સરકાર સામે અવાજ ઉઠાવે છે. આમ આદમી પાર્ટી જ છે જે ચોક્કસ યોજનાઓ લઈને આવી છે જેનાથી દરેક સમાજના મુદ્દાઓનું સમાધાન થાય અને દરેક સમાજનો વિકાસ થાય. આજે દરેક સમાજને માન સન્માન આપીને એક સાથે આગળ વધવાના લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી રાજનીતિમાં પ્રવેશી છે.