રીના બ્રહ્મભટ્ટ દ્વારા :
2007 અને 2012 ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પાસે મોદી વિરુદ્ધ કોઈ તગડો મુદ્દો હતો નહિ. અને આજે 2017 માં પણ કોંગ્રેસ પાસે એવો કોઈ કરિશ્મા કરી શકે તેવો કોઈ નેતા નથી કે જાદુની છડી નથી. પરંતુ કેટલીક સિલસિલાબંદ ઘટનાઓને કારણે કોંગ્રેસને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે ભાજપમાં મોદીની ગેર હાજરી અને વળી પ્રજાનો વધતા અસંતોષે કોંગ્રેસની હિમ્મત વધારવાનું કામ કર્યું છે. અને તેનાથી પણ વધુ તો ત્રણ આંદોલનકરી નેતાઓનો કોંગ્રેસ તરફી સમર્થનના લીધે ટૂંકમાં કોંગ્રેસને તેની ઉજળી તકો દેખાઈ રહી છે અને એથી જ રાહુલ ગાંધીના ગુજરાતમાં આંટા ફેરા વધી ગયા છે. બાકી મોદી હંમેશા ગુજરાતમાં આવતા-જતા રહે છે.
વિશેષમાં ગુજરાતમાં તેનો ચૂંટણી પ્રચાર શરુ કરતા અ ગા ઉ થી જ કોંગ્રેસે આ વખતે ખુબ જ ફૂંકી ફૂંકીને તેની ચૂંટણીની રણનીતિ બનાવી છે અને એ મુજબ કોંગ્રેસ ચૂંટણી જીતવા મોદી સ્ટાઇલથી સોફ્ટ હિન્દુત્વની સાથે સાથે સમગ્ર જાતિઓને કોઈને કોઈ રીતે પટવી માસ્ટર સ્ટ્રોક વાપરી રહ્યું છે. જાતિવાદના કાર્ડને એકસાથે અનેક મોરચે વાપરવા કોંગ્રેસે હાર્દિક અને અલ્પેશને ક્યારના હાથ પાર લેવાનું ચાલુ કર્યું હતુ. જેની અસર લોકોને હવે દેખાઈ રહી છે. અને એટલે જ આ વખતની ચૂંટની મોટાપાયે જાતિવાદ પર લડાઈ રહી છે.
આ અંગે હાલમાં એક સર્વેના પરિણામો પણ કઈકે આવા જ આવ્યા હતા. જો કે, જ્યાં એજ્યુંકેસનનો અભાવ હોય છે ત્યાં લોકો ખુબ ઝડપથી જાતિવાદની અસરમાં આવી જતા હોય છે. અને આ પ્રભાવમાં મતદાન કરી બેસતા હોય છે. જયારે શહેરની આબાદી મોટાભાગે વિકાસના કામો અને ઉમેદવારની ખૂબીઓ જોતો હોય છે. પરંતુ એ પણ એક જમીની વાસ્તવિકતા છે કે, આજે જ્યાં વિકાસનો નારો લોકોને ગપગોળા જેવો લાગ્યો છે ત્યાં જાતિવાદે ફરી એકવાર રાજકારણમાં સ્થાન લીધું છે. અને એટલે જ બંને પક્ષે ટિકિટોની વહેંચણીમાં પણ જાતિવાદને સ્થાન આપવું જ પડશે.જો કે, જાતિવાદનો મુદ્દે ગુજરાતમાં જ નહિ બલ્કે સમગ્ર દેશની ચૂંટણીઓમાં અસર કરતો મુદ્દો છે. અને માયાવતીથી લઇ મુલાયમ સુદ્ધા આ બેજ પર ચૂંટણી લડે છે.ત્યારે ગુજરાતમાં જાતિઓની જોડ-તોડ જોઈએ તો,
15 % -એસટી, 6 %એસસી, 37 % ઓબીસી, 15 % સામાન્ય ,
6 % કડવા પટેલ, 8 % લેઉવા પટેલ, અને 10 % મુસ્લિમ અને અન્ય જાતિ છે.
ત્યારે જાતિગત માળખા મુજબ સીટોની ભાગીદારી જોઈએ તો,
28 % સીટો પર એસટી, 90 % પર ઓબીસી, 2 % એસસી,
25 % પર સામાન્ય, 21 % સીટો પર પટેલો, 16 % પાર મુસ્લિમો
મતલબ કે 37 % ઓબીસી અને 16 % પટેલો નું સમર્થન કોઈપણ પક્ષને જીતાડી શકે છે.અને આ બાબત બંને પાર્ટી ખુબ સારી પેઠે જાણે છે. અને તેથી જ ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જોડ-તોડની રાજનીતિ ચરમ સીમા એ છે. પરંતુ હજુ ચૂંટણી આડે એક મહિના જેટલી વાર છે ત્યાં સુધીમાં કેટલાય નવા નજર જોવા મળશે.