[slideshow_deploy id=’21041′]
સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાહુલભાઇ ગાંધી આજે મધ્યાન્હ આરતી બાદ આવેલ હતા. સ્થાનીક અગ્રણીઓ સાથે રાહુલએ મહાદેવને અભિષેક તેમજ પૂજાવિધિ સામગ્રી અર્પણ કરી હતી. ટ્રસ્ટની પરંપરા મુજબ મહેમાનનું સ્વાગત સોમનાથ મહાદેવનુ સ્મૃતિ ચીત્ર આપી શાલ ઓઢાડી જનરલ મેનેજરશ્રીએ કરેલ હતું. રાહુલ ગાંધીએ સમુદ્ર, વિર હમિરજી ગોહીલ સમાધી, હનુમાનજી, સરદાર પટેલ ગેલેરીની મુલાકાત તથા સરદાર વલ્લભભાઇ પટેલને પૂષ્પાંજલી અર્પણ કરી હતી. તેઓએ મંદિર ની વિઝીટર બુકમાં જણાવેલ કે સોમનાથ મંદિર ખુબ પ્રેરણાદાયી સ્થળ છે તેવો ભાવ વ્યક્ત કરેલ હતો.