આજે જ્યારે આપણે તંદુરસ્ત વિશ્વના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, ત્યારે તે વધુ મહત્વનું બની ગયું છે કે આપણે ક્રોનિક અને ચેપી રોગોને રોકવા અને તેનું સંચાલન કરવામાં પોષક આહારની ભૂમિકાને ઓળખીએ. આહારને પૌષ્ટિક બનાવવા માટે, બદામને સૌથી આરોગ્યપ્રદ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે આપણા રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ. આ ડ્રાય ફ્રૂટ્સ ફાઈબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે જે એકંદર સારા સ્વાસ્થ્ય અને સારી જીવનશૈલી માટે જરૂરી છે. આ સિવાય બદામમાં ઝિંક, કોપર, ફોલેટ અને આયર્ન મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
બદામમાં ફાઈબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો વધુ હોય છે, જે એકંદર આરોગ્ય અને સુખાકારી માટે જરૂરી છે. આ ઉપરાંત બદામ ઝીંક, કોપર, ફોલેટ અને આયર્ન મિનરલ્સનો સ્ત્રોત છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અસંખ્ય અભ્યાસોએ દર્શાવ્યું છે કે, સંતુલિત આહારમાં બદામનો સમાવેશ હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરી શકે છે, કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરી શકે છે. આ ફાયદાઓ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માંગતા લોકો માટે બદામ એક ઉત્તમ પસંદગી બનાવે છે.
બદામ આપણને લાંબા સમય સુધી સંપૂર્ણ ફિટ રાખી શકે છે અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વધુમાં દરરોજ બદામ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે કારણ કે તેમાં, જસત, આયર્ન અને ફોલેટ જેવા આવશ્યક ખનિજોનો સ્ત્રોત ભરપૂર માત્રામાં હોય છે.
અમેરિકાના પ્રકાશિત એક જર્નલમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એકંદરે તંદુરસ્ત આહારના ભાગ રૂપે 42 ગ્રામ બદામનો દૈનિક નાસ્તો, હૃદય રોગના જોખમના પરિબળોમાં સુધારો કરે છે. એલડીએલ કોલેસ્ટ્રોલ સુધારવા ઉપરાંત બદામનો ઉપયોગ બ્રેકફાસ્ટમાં કરવાથી પેટની ચરબી પણ ઓછી થાય છે.