સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ફરી એકવાર માથુ ઉંચકયુ છે. દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થતાં કેન્દ્ર અને રાજય સરકાર સતર્ક બની ગઈ છે. રાજયમાં કોરોના મહામારી ફરી એકવાર ફેલાય ત્યારે હોસ્પિટલમાં કેવી સતર્કતા છે
તે માટે રાજયની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ સજ્જતા તપાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ જેવી કે, ઓક્સિજન ટેન્ક, વેન્ટીલેટર, આઈસીયુ, બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ યોગ્ય સમયે યોજાય તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જાષી દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવી હતી. કોરોના રોગચાળાથી બચવા માટે માસ્ક, સેનિટાઈઝર, ભીડભાડવાળી જગ્યામાં ન જવું તેમજ વારંવાર હાથ ધોવા માટે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.કોરોના સામે તંત્રની સતર્કતા તપાસવા અમરેલી જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ તે માટે રાજયની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ સજ્જતા તપાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.