નવી દિલ્હીઃ કોરોના વાયરસ સમયમાં રક્ષણ આપવા માટે કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે ત્યારે કોરોના વેક્સીન અંગે લોકોના મનમાં અલગ અલગ ભ્રમ ચાલી રહ્યા છે ત્યારે નિષ્ણાંતો શું કહી રહ્યા છે એ જાણીએ. એક્સપર્ટ મુજબ, કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન એક સારો ઉપાય છે. એ તમારા ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે, જેમાં બીમાર થવા પર ખતરો ઓછો થઇ જાય છે. જો કે એની અસર હંમેશા રહેતી નથી પરંતુ નિશ્ચિત સમય માટે છે.
અમેરિકી સેન્ટર ઓફ ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને 4000 સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર પર વેક્સિનેશન પછી સ્ટડી કરી છે. એમાં જાણવા મળ્યું છે કે ફાઇઝર-બાયોટેકની વેક્સિન 6 મહિના સુધી લોકોને કોરોના વાયરસથી બચાવી શકે છે. જયારે કેટલીક વેક્સિનની અસર 6 મહિના અથવા વર્ષની હોય છે.
એ ઉપરાંત મોડર્ના વેક્સિનને લઈને પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને ડોઝ લીધાના છે 6 મહિના પછી કોરોનાનો ભય રહેતો નથી. મોડર્ના વેક્સિનથી તૈયારી થતી એન્ટિબોડી 6 મહિના સુધી શરીરમાં રહે છે. જો કોઈ વ્યક્તિનું બીમાર થવું એન્ટિબોડી ઉપરાંત એના ઇમ્યુન સિસ્ટમ પર પણ નિર્ધારિત છે. જો ઇમ્યુનિટી જેટલી સ્ટ્રેન્ગ હશે કોરોનાનું રિસ્ક એટલું ઓછું રહેશે.
યુનિવર્સિટી ઓફ મેરીલેંડ સ્કૂલ ઓફ મેડિસિનના વેક્સિન એક્સ્પેર્ટએ જણાવ્યું હતું કે હાલ જે વેક્સિન ઉપલબ્ધ છે એની અસર એક વર્ષ રહી શકે છે. પરંતુ આગળ ચાલતા કોરોના નવા વેરિએન્ટ્સની ચિંતા બની શકે છે. કારણ કે વાયરસના ઇમ્યુન બદલાઈ છે જેથી વેક્સિન પણ અપડેટ કરવાની જરૂરત પડશે. પછી ફરીથી વિક્સીન પણ અપડેટ કરવાની જરૂર છે.
જયારે આપણી ઇમ્યુન સિસ્ટમ વધુ સ્ટ્રોંગ થઇ જાય છે તો રોગો સાથે લડવાની જગ્યાએ શરીર ને નુકસાન પહોંચાડે છે. એને સાઇટોકાઈન સ્ટોર્મ કહે છે. એનાથી ઇમ્યુન સેલ ફેફસા પાસે જમા થઇ જાય છે અને એના પર હુમલો કરવા લાગે છે. એનાથી લોહીની નસો ફાટવું અને બ્લડ ક્લોટ બનવા લાગી જાય છે. આ સ્થિતિમાં તપાસ અને સારવાર પછી નિયંત્રિત કરી શકાય છે. પરંતુ કોરોનાના દર્દીઓમાં કઈ પણ કહેવું મુશ્કેલ છે.