જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના જીવનમાં થતી શુભ અને અશુભ ઘટનાનો સંબંધ જેવી રીતે 9 ગ્રહ સાથે હોય છે તેવી જ રીતે તેને થતી બીમારીઓનો સંબંધ પણ ગ્રહો સાથે જોડાયેલો છે. ગ્રહોના કારણે જે રીતે વ્યક્તિને સફળતા, નિષ્ફળતા મળે છે તે રીતે જ તેના જીવનમાં બીમારી રૂપે બાધા પણ ગ્રહ દોષના કારણે આવી શકે છે. તો ચાલો જાણીએ કે કયા કયા ગ્રહના કારણે કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.
સૂર્ય
કુંડળીમાં સૂર્ય અશુભ હોય તો વ્યક્તિને આંખ અને માથા સંબંધિત બીમારી થઈ શકે છે.
ચંદ્ર
કુંડળીમાં ચંદ્રનો અશુભ પ્રભાવ હોય તો વ્યક્તિને કફ કે પેટની બીમારી થઈ શકે છે.
મંગળ
મંગળનો પ્રભાવ અશુભ હોય તો રક્ત સંબંધિત બીમારી થાય છે.
બુધ
જો કુંડળીમાં બુધ ગ્રહ અશુભ પ્રભાવ પાડતો હોય તો દાંત અને નસ સંબંધિત બીમારી થઈ શકે છે.
ગુરુ
ગુરુની અશુભતાના કારણે વ્યક્તિને શ્વાસની તકલીફ થાય છે.
શુક્ર
શુક્ર ગ્રહ સંપન્નતા અને વૈભવનો કારક ગ્રહ છે. તે અશુભ હોય તો વ્યક્તિ એક નહીં અનેક બીમારીથી પીડિત રહે છે.
શનિ
જે જાતકની કુંડળીમાં શનિ ગ્રહ અશુભ પ્રભાવી હોય તેને પેટ સંબંધિત બીમારી ઘેરી વળે છે.
રાહુ
કુંડળીમાં રાહુનો દોષ હોય તો વ્યક્તિને વારંવાર તાવ આવે છે.
કેતુ
કુંડળીમાં આ ગ્રહનો દોષ હોય તો વ્યક્તિને હાડકાની બીમારી થાય છે.