અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના બોર્ડે, 13 મે, 2023ના રોજ યોજાયેલી તેની બેઠકમાં, 10 રૂપિયાની ફેસ વેલ્યુની ઇક્વિટી શેર અથવા કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરીને QIP દ્વારા ભંડોળ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
અદાણી ગ્રૂપની કંપની અદાણી ટ્રાન્સમિશનને ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા ઈક્વિટી શેર ઈશ્યૂ કરીને રૂ. 8,500 કરોડ સુધી એકત્ર કરવા માટે શેરધારકો પાસેથી મંજૂરી મળી છે. કંપનીએ QIP ધોરણે ઇક્વિટી શેર અથવા અન્ય ક્વોલિફાઇડ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરીને રૂ. 8,500 કરોડ સુધી એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી માંગી હતી. પોસ્ટલ બેલેટ દ્વારા આ મંજૂરી માંગવામાં આવી હતી. કંપનીએ આ જાણકારી શેરબજારને આપી છે.શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીના 98.64 ટકા શેરધારકોએ આ પ્રસ્તાવની તરફેણમાં વોટ આપ્યો. કંપની આ ફંડનો ઉપયોગ તેની વિસ્તરણ યોજનાઓ માટે કરશે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના બોર્ડે 13 મે, 2023ના રોજ મળેલી તેની બેઠકમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા રૂ. 8,500 કરોડ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કંપનીના બોર્ડે દરેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર અથવા કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરીને ભંડોળ ઊભું કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે પછી કંપનીને શેરધારકો સહિત અન્ય નિયમનકારી મંજૂરીઓ મળવાની બાકી હતી.આ અંગે અદાણી ટ્રાન્સમિશનએ અગાઉ કહ્યું હતું કે તે તેની વર્તમાન કામગીરીમાં વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને બિઝનેસને વિકસાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.