માગશર મહિનાની અષ્ટમી તિથિએ હનુમાન અષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે.આ વર્ષે આ પર્વ 21 ડિસેમ્બર,બુધવારના રોજ ઉજવવામાં આવશે.વર્તમાન સમયમાં લોકો દ્વારા સૌથી વધારે હનુમાનજીને પૂજવામાં આવે છે.આ માટે જ તેમને કળયુગના જીવંત દેવતા પણ કહેવામાં આવે છે.ધર્મ ગ્રંથોમાં હનુમાનજીના પ્રમુખ 12 નામ જણાવવામાં આવ્યા છે,જેના દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે.હનુમાનજીના આ 12નામનો જાપ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને જો કરવામાં આવે તો,વ્યક્તિના બધા જ ભય દૂર થઇ જાય છે અને તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે.કોઇપણ યાત્રા શરૂ કરતા પહેલાં પણ જો આ નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની યાત્રા સફળ રહે છે.તે વ્યક્તિ તેના જીવનમાં બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે.હનુમાનજીના 12 નામની સ્તુતિ તથા તે નામનો અર્થ આ પ્રકારે છે,શ્રી હનુમાનજી, દશગ્રીવ દર્પણ, પીગક્ષ, ફાલ્ગુનસુખ,રામેસ્ટ, અંજનીસુનું, લક્ષ્મણ પ્રાબદાતા,ઉદધિક્રમણ, વાયુપુત્ર, મહાબલ,અમિત વિક્રમ,સીતાશોક નિવારણ આ 12 નામો દાદા ના લેવાથી ભક્તો ને ફાયદો થાય છે.
સ્તુતિઃ-
हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट:फाल्गुनसख:पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य:पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।