આસામના ગોલપારા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની એક મહિલા નેતાની હત્યા કરીને તેના મૃતદેહને નેશનલ હાઈવે 17 પર ફેંકી દેવામાં આવ્યો હતો.
આસામ: રાજ્યના ગોલપારા જિલ્લામાં બીજેપી મહિલા નેતાની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અજાણ્યા લોકોએ મહિલાની હત્યા કરીને તેનો મૃતદેહ નેશનલ હાઈવે-17 પર ફેંકી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કૃષ્ણાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સાલપારા વિસ્તારમાં નેશનલ હાઈવે પર ગોલપારા જિલ્લા ભાજપ સેક્રેટરી જોનાલી નાથનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોલપરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે તેની હત્યા બીજે ક્યાંક કરવામાં આવી છે અને તેની લાશ ફેંકી દેવામાં આવી છે.