નવી દિલ્હી તા.6 : ઉત્તરાખંડ ની વિધાનસભા ચૂંટણી ના 10 દિવસ પેહલા જ ભાજપ માંથી 33નેતાઓ ને છુટા કર્યા હોવાના એહવાલ પ્રકાશ માં આવી રહ્યા છે,ભાજપ ના ઉચ્ચ નેતાઓ દ્વારા આ નિર્ણ્ય કરવામાં આવ્યો છે તેમને શંકા હતી કે આ તમામ નેતા પાર્ટી ની વિરુદ્ધ માં કાર્ય કરી રહ્યા છે.જેના પછી લેવામાં આવેલા ફેંસલામાં તેમને 6 વર્ષ સુધી પાર્ટી માંથી હાંકી કાઢયા છે.
રાજ્ય ના મહાસચિવ નરેશ બંસલે આ નિર્ણય ની પુષ્ટિ કરી હતી.પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટે એ જણાવ્યું હતું કે આ પાર્ટી ના નેતા ના જવાથી અમને ખાતરી છે કે આવનાર ચૂંટણી માં તેમને લઇ કોઈ પણ પ્રકાર નો ફરક નહિ પડે.ઉલ્લેખનીય છે કે પાર્ટી ના 17 નેતા ને પહેલા થી બહાર કરી દેવામાં આવ્યા છે.અત્યાર સુધી માં 50 નેતા ને પાર્ટી માંથી બહાર નો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.તમને જયારે કેટલીક સીટ પર હજુ ભાજપ ના નેતા ના આવનાર ચૂંટણી ને લઇ મેદાન માં ઉભા છે.
ઉત્તરાખંડ માં ભાજપ દ્વારા કોંગ્રેસ માંથી કેટલાક નેતા ને ટિકિટ આપવામાં આવી છે અને કેટલીક સીટ પર અત્યારે કોંગ્રેસ ના નેતા તેમની ઉમ્મેદવારી નોંધાઈ રહ્યા છે જેના પછી ભાજપ માં બગાવત નો માહોલ જોવા મળી રહ્યો છે.અહીં નોંધનીય છે કે ઉત્તરાખંડ માં પીએમ ની 4 રેલીઓ યોજાનારી છે.કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ દ્વારા થોડા સમય પેહલા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ઉત્તરાખંડ માં ભાજપ ની સરકાર આવતા ની સાથે ખેડૂતો નું ઋણ માફ કરી દેવામાં આવશે.મહત્વની વાત છે કે ગોવા માં પણ ભાજપ ને સમર્થન કરનાર કેટલીક રાજકીય પક્ષ ની પાર્ટી એ હાલ માં જ છેડો ફાડી નાખ્યો છે પરંતુ હવે પાર્ટી માં જ બગાવત નો માહોલ સર્જાઈ રહ્યો છે,ત્યારે આવનાર સમય માં ભાજપ તેની સીટ બચાવા માં કેટલી સાફ નીવડે છે તે 11 માર્ચ ના પરિણામ થી જાહેર થઇ જશે.