નવી દિલ્હી: નોટબંધી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી રેલી દ્વારા ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે જે લોકો બેઇમાન છે તેમનું આવી બનશે. 500 1000ની નોટને કાગળ બરાબર કર્યા બાદ હાજીપુરમાં પ્રધાનમંત્રી મોદી ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. આ રેલીમાં તેમણે ગરીબોનું મનોબળ વધારવાની સાથે ભ્રષ્ટાચારીઓના મનોબળને પોતાના શબ્દો દ્વારા તોડ્યું. ઇશારામાં માયાવતીને સમજાવ્યું અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા.
તેમણે રેલીમાં કહ્યું હતું કે મને ખબર છે તમને તકલીફ પડી રહી છે. તમે જણાવો મને કે તમે જ્યારે પોતું કરાવો છો તો દસ દિવસ સુધી ગંધ રહે છે ને. કોિ પણ સારું કામ કરાવો તો તકલીફ રહે છે જ. બસ ઇરાદો સ્પષ્ટ હોવો જોઇએ. હું આ બધું સારા માટે જ કરું છું. કેટલાક રાજનિતીક દળ ખૂબ જ પરેશાન છે. હવે કરે શું. મને બતાવો હવે બધા એક સમાન થઇ ગયા કે નહીં. નોટો વાળાઓને ચૂંટણીની ચિંતા છે. પરંતુ કેટલાક લોકોને વધારે મુશ્કેલી થઇ રહી છે.
હું કોંગ્રેસના લોકોને વિશેષ રીતે પૂછવા માંગુ છું. એ લોકો કહી રહ્યા છે કે જનતાને સમસ્યા થઇ રહી છે. જનતાની ચિંતા કરનારી કોંગ્રેસ, તમે તો 19 મહીને આપાતકાલ લાગૂ કરીને આ જ જેશને જેલખાનું બનાવી દીધું હતું. એ જમાનામાં તમારી પોલીસ લોકોને ઉઠાવીને જેલમાં લઇ જતી હતી.
જ્યારે હું નાનો હતું ત્યારે લોકો મને કહેતા હતાં કે મોદીજી કડક ચા બનાવજો. મે કડક ચા બનાવી છે. ગરીબને કડક પસંદ છે અમે અમીરને નહીં. કોંગ્રેસે તો ચલણી નોટો બંધ કરી દીધી હતી. એ વાત અલગ છે કે તમે ચલણી નોટથી આગળ ચાલી શકતાં નથી. એ વાત અલગ છે કે તમે તમારી બરાબર કામ કર્યું અને મે મારા બરાબર કામ કર્યું.
મહિલાઓને સંબોધીને કહ્યું હતું કે બહેનો જ્યાં સુધી તમારો ભાઇ જીવતો છે, મારી માતાઓ જ્યાં સુધી તમારો લાડલો જીવતો છે, તમારા લોહીની કમાણી પર કોઇ પણ સરકારી ઓફિસર હાથ લગાવશે નહીં. પથારી નીચેથી પૈસા નિકળ્યા શું એમને પણ છોડી દઉં. રાતે ગાડીઓ નિકળે છે શહેરોમાં. જોવે છે સીસીટીવી કેમેરા તો ક્યાંય લાગ્યા નથી. અને કચરાના ઢગલામાં પૈસા ફેંકીને જતાં રહે છે. પરંતુ એમને એવી ખબર નથી કે તેમના પાપ આવું કરવાથી પણ ધોવાશે નહીં.