અમદાવાદ : કરિયાતું ભારત તથા શ્રીલંકાની મૂળ નિવાસી છે. વ્યાપક રૂપમાં આ વનસ્પતિની ખેતી કરવામાં આવે છે. કરિયાતું નેપાળી લીમડાના રૂપમાં પણ જાણીતી છે. હીમાલયમાં ઉચાઈએ ઉગે છે. એક વર્ષીય છોડ છે. સ્વાદ કડવો હોય છે. ઊંચાઈ 2થી 3 ફૂટ છે. ફૂલનો રંગ ગુલાબી , ફળ સફેદ રંગના છે. ઔષધી માટે એના આખા છોડનો ઉપયોગ છે.
કરિયાતું બીજ મે-જૂનમાં ધરુ અથવા સીધા ખેતરમાં વાવવામાં આવે છે. છાયામાં વધું થાય છે. છોડની લણણી ફૂલ આવે ત્યારે ઓગસ્ટ કે નવેમ્બરમાં થાય છે. બીંયા માટે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં છોડની કાપણી કરાય છે. છોડને અને ખાસ કરીને તેના પાંદડા કાપી, સૂવવી દેવામાં આવે છે.
સરેરાશ રીતે એક હેક્ટર દીઠ 300થી 400 કિલો લીલા કરિયાતું અને સૂકું 60થી 70 કિલો મળે છે.
દક્ષિણ ગુજરાતમાં કાલમેઘ નામે લીલું કરિયાતું થાય છે. જે ચાલુ કરીયાતાથી અલગ પડે છે.
ઔષધિય મૂલ્યોના કારણે તેની ખેતી વધી રહી છે. ગુજરાતની 124 જેટલી આયુર્વેદિક ફાર્મસી કંપનીમાં તેની સારી એવી માંગ છે. ત્યાં સારા અને ઓર્ગેનિક માલની માંગ છે.
કરિયાતાનાં પાનમાં એન્ડ્રોગ્રાફોલાઈન નામનો આલ્ક્લોઇડ મળે છે. ચિરાકિન અને ઓફેલિક એસિડ નામનાં બે કડવા દ્રવ્યો, યવક્ષાર, ચૂનો, રાળ તેમજ ઓલિક, પામિટિક અને સ્ટિયરિક એસિડ રહેલા છે. આ તત્વોના કારણે ઔષધિય ગુણો છે.
ઔષધિય મૂલ્ય
કડવું, તાવનાશક , પૌષ્ટિક , તીખું, શીતળ, પચવામાં હળવું, ભૂખ માટે, કફ, પિત્તશામક, આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિત્ત સારક, કડવું, ધાવણ શુદ્ધ કરે, મંદાગ્નિ, અજીર્ણ, લિવરનાં રોગો, કમળો, કબજિયાત, સોજા, અમ્લપિત્ત-એસિડિટી, કામને ઉત્તેજક, ત્વચાનાં વિવિધ રોગોમાં આ વનસ્પતિ વ્યાપક પ્રમાણમાં વપરાવા લાગી છે. સુદર્શન ચૂર્ણમાં અડધું કરિયાતું હોય છે. કવાથ – મંજીષ્ઠાદિ, અર્કાદિ, દેવદાર્વ્યાદિ, કિરાતાતિમાં વપરાય છે.
તાવ દૂર કરે
કરિયાતું તાવ માટે શ્રેષ્ઠ છે, જીર્ણ જવર માટે ઉત્તમ છે. રાત્રે ગરમ પાણી સાથે અડધી ચમચી કરિયાતું પાઉડર ચપટી સૂંઠ નાખી વાસણ ઢાંકી સવારે એચ અઠવાડીયા સુધી પીવાથી જીરણ તાવ મટે છે. કરિયાતું પૌષ્ટિક અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. એટલે ભૂખ લાગે છે. ખોરાક પચે છે.
સોજા – બળતરા – સાંધા
કરિયાતું ઝાડો સાફ લાવી આમ પચાવી શકે છે. શરીરમાં ક્યાંય પણ સોજા હોય તો સૂંઠ સાથે સમાન ભાગે લેતાં ઉતારી દે છે. શીતળ છે. હાથ-પગ, આંખો કે શરીરમાં બળતરા શાંત કરે છે. કરિયાતું, ધાણા અને સાકર દરેક 10 ગ્રામ ચૂર્ણ બનાવી રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પીતાં મૂત્રમાર્ગની બળતરા મટી શકે છે. ઉંમર વધતાં સાંધાની સમસ્યા છેલ્લાં વર્ષોથી વધી છે. સોજા, દુઃખાવો અને સાંધા દુઃખ મટાડવાની ક્ષમતા છે. રુમેટીયડ ગઠીયા વામાં ફાયદો મળે છે.
રક્ત સ્રાવ મટાડવા કરિયાતું અને સુખડ-ચંદનનું ચૂર્ણ સરખા ભાગે લઈ સવાર સાંજે બકરીના દૂધ સાથે લેવી.
કેન્સર રોગ માટે
લીવર અને બીજા કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા છે. ચયાપચય, શરીરમાં નવું લોહી બનાવે છે. મીથનોલ હોવાથી કેન્સર સામે લડવામાં ઉપયોગી છે. લોહી બનાવે અને એનીમીયાના લક્ષણ દુર કરવા માટે વપરાય છે.
લીવર રોગો
ફેટી લીવર, સીરોસીસ સારું છે. લીવરની કોશીકાઓને રીચાર્જ કરે છે. આ સારો લીવર ડીટોકસીફાયર છે. કરિયાતુંનો લીવર ઉપર ડીટોક્સીફીકેશન પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એટલા માટે કરિયાતુંનો ઉપયોગ લીવરની તકલીફોમાં કરવો ઉત્તમ રહે છે.
હોટેલોનું ખાણું
હોટેલ અને તેલ વાળું વધું થવાય છે. તેથી ચામડીની સમસ્યા વધી છે. ઘા મટાડે છે, ત્વચાને જલ્દી સારી કરે, પાણી સાથે ઘા પર લગાવી દેવાઈ છે. પેસ્ટ ખીલના ઈલાજ માટે છે.