કોરોનાની ત્રીજી લહેરની દહેશત વધુ ઘાતક બની રહી છે અને સંક્રમણની સંખ્યા વધુ બેકાબુ થઈ રહી છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ગુરુવારના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ, 17 હજાર, 352 (3,17,532) નવા કેસ નોંધાયા છે જે બુધવાર કરતાં 35 હજાર વધુ છે. આ સાથે છેલ્લા આઠ મહિનાનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે જૂનમાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 491 લોકોના મોત થયા છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે દેશમાં હજુ પણ 19 લાખથી વધુ લોકો 19,24,051 સંક્રમિત છે. જો કે આ દરમિયાન બે લાખ, 23 હજાર, 990 (2,23,990) લોકો રિકવર પણ થયા. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે વધીને 16.14 ટકા થઈ ગયો છે. તે જ વખતે સાપ્તાહિક ચેપ દર 16.06 ટકા છે.ભારતમાં કોરોના ના નવા ઓમીક્રોન ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9,287 કેસ નોંધાયા છે.અને 24 કલાક ની અંદર ઓમિક્રોનના કેસમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે