દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 45,209 નવા કેસ નોંધાયા છે. શનિવારે ચેપના 46,232 કેસ નોંધાયા હતા. દેશમાં વાયરસના ચેપથી મુક્ત દર્દીઓની સંખ્યા વધીને 85 લાખ થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 45,209 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન દેશમાં 501 દર્દીઓએ ચેપને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં આ ભયાનક વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 90, 95807 થઈ ગઈ છે.
મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ચેપ મુક્ત દર્દીઓની સંખ્યા વધીને 85, 21617 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 43,493 દર્દીઓ આ વાયરસથી સાજા થયા છે અને હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા પાંચ લાખથી ઓછી છે.
આંકડા મુજબ, દેશમાં વાયરસના સક્રિય કેસોની કુલ સંખ્યા 4, 40962 છે.
કોરોના વાયરસને કારણે દેશમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને 1, 33227 થઈ ગઈ છે.