સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ માટે NEETની ફરી પરીક્ષાઓ લેવાવી જોઈએ.
કોરોના પોઝિટિવ હોવાના કારણે NEET ની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આવા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા યોજવાનું કહ્યું છે.
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ કોવિડ -19 રોગચાળા વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ NEET 2020 ની પરીક્ષા લીધી હતી. આ સિવાય, NEET UG ની આન્સર કી 26 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી.
કોરોના સંકટની વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આવી સ્થિતિમાં, વિવિધ રાજ્ય સરકારો દ્વારા આ વર્ષે મફત પરિવહન અને આવાસની જાહેરાત કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શક્યા ન હતા. તેથી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં આ માટેની અરજી દાખલ કરી હતી.
આ પરીક્ષાનું પરિણામ આજે એટલે કે 12 ઓક્ટોમ્બરે જાહેર થવાનું હતું, જે હવે આગળ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. NTAના વરિષ્ઠ અધિકારીએ એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ પરીક્ષાનું પરિણામ સોમવારે આવશે નહીં, સાથે તેમણે એ પણ કહ્યું છે કે આ પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
NEET પરીક્ષા દ્વારા દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસમાં પ્રવેશ મળે છે. આમાં, ઓલ ઇન્ડિયા રેન્કિંગ મુજબ, દેશની ટોચની તબીબી સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. આ વખતે કોરોનાને લીધે, કન્ટેનમેન્ટ ઝોનના પરીક્ષા કેન્દ્રો પણ રદ કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયની તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, આ પરીક્ષા દેશભરમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે દેશભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.