ભારત ના નવા આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાન ને આડકતરી રીતે ચેતવણી આપી કહ્યું કે ફોર્સ બોર્ડર પર શાંતિ જાળવી રાખશે.પરંતુ જો જરૂર પડશે તો અમે તાકાતનું પ્રદર્શન કરવામાં પાછા નહીં પડીએ.રાવતે એમ પણ કહ્યું કે ઈસ્ટર્ન આર્મી કમાન્ડર લે.જનરલ પ્રવીણ બખ્શી અને સદર્ન કમાન્ડર લે.જનરલ પીએમ હૈરિઝ તેમના કામને પાર પાડતાં રહેશે.રાવતને બખ્શી અને હૈરિઝની સીનિયોરિટીની અવગણના કરીને આર્મી ચીફ બનાવાયા છે.આર્મી ચીફે હોદ્દો સંભાળતા જ પાકિસ્તાને ફરી વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.પાક.દ્વારા પુંચના શાહપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
રાવતે કહ્યું કે આપણો દેશ અને સેના શાંતિ તથા ભાઈચારો ઈચ્છે છે.પરંતુ તેનો મતલબ એવો નથી કે અમે નબળા છીએ.જો જરૂર પડશે તો અમારી તાકાતનો ઉપયોગ કરવામાં પાછી પાની નહીં કરીએ.આર્મીના તમામ યુનિટ્સ અને સર્વિસ એક સાથે છે.હું હંમેશા તેને એક યુનિટના રૂપમાં જ જોઈશ.
આપણા જવાનો ગમે ત્યાં ફરજ બજાવતાં હોય પરંતુ મારી નજરમાં બધા એક છે.
પાકિસ્તાને નવા વર્ષે પણ પોતાની નાપાક હરકત ચાલુ રાખી છે.2017ના પ્રથમ દિવસે જ પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરના પુંચમાં શાહપુરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.જેનો ભારતીય દળો દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે 2016માં પાકિસ્તાન દ્વારા આશરે 430 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.એરમાર્શલ બી એસ ધનોઆએ પણ ચાર્જ સંભાળી લીધો છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.