પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. એક વ્યાપાર સભા દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં જાપાન અને ભારતના દ્વિપક્ષીય સંબંધો પર પોતાની વાત રજૂ કરી. વળી તેમણે વ્યાપારિક સંબંધો પર ટિપ્પણી પણ કરી. આવો તમને જણાવીએ આ સભામાં પીએમ મોદીના ભાષણની ખાસ વાતો.
મોદીએ કહ્યુ કે ભારતમાં જાપાન ગુણવત્તા, ઉત્કૃષ્ટતા, ઇમાનદારી અને નિષ્ઠાનું પ્રતીક છે. દુનિયાના બાકી ભાગોમાં જાપાનના વિકાસ યોગદાનથી આપણે બધા પરિચિત છીએ. પીએમ મોદીએ કહ્યું કે જાપાનના નેતૃત્વ, સરકાર, ઉદ્યોગ અને જનતા સાથે મારો એક દાયકા જૂનો સંબંધ છે. તેમણે જણાવ્યુ કે ભારતને ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીએ આપેલી સત્યની શિક્ષાથી પ્રેરણા મળે છે.
પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને જાપાન એકસાથે કામ કરવા માટે સૌથી વધુ અનુકૂળ છે. 21 મી સદી એશિયાની માનવામાં આવે છે. એશિયાને વૈશ્વિક વિકાસનું કેન્દ્ર માનવામાં આવે છે. આપણે સાથે કામ કરવાનું ચાલુ રાખવુ પડશે જેથી એશિયાના આ ઉર્ધ્વ કાળમાં મહત્વની ભૂમિકા ભજવી શકીએ.