૧૫ અંકોવાળા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ પેયર આઈડેન્ટીફીકેશન નંબર પ્રારંભિક મહિનામાં કારોબાર માટે ચાલશે. અઢીયાએ જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પર ઉધોગ અને વેપાર જગતની ચિંતાઓને દૂર કરીને એમ કહ્યું છે કે જીએસટી માટે ગભરાવાની જરૃર નથી. રજિસ્ટ્રેશનની ચિંતા કરવાની પણ જરૃર નથી કારણ કે આ નવી વ્યવસ્થામાં કામચલાઉ આઈડીથી કારોબાર થઈ શકશે અને એમાં કોઈ અવરોધ આવવાનો નથી. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો પણ મુંઝાવાની કોઈ જરૃર નથી.
એમણે એવી માહિતી આપી કે દેશના ૮૦.૯૧ લાખ એકસાઈઝ સર્વિસ અને વેટ કરદાતાઓમાંથી ૬૨.૬ લાખ એટલે કે ૮૧ ટકાએ જીએસટી એન્ડ પોર્ટલ પર માઈગ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લીધી છે પરંતુ તેમાંથી ૧૩ લાખ વ્યવસાયિકોએ રજિસ્ટ્રેશનના બીજા તબક્કાની પ્રક્રિયા પૂરી કરી નથી અને આ પ્રક્રિયા ખરાઈ કરવાની છે. વ્યવસાયિકોને જીએસટીમાં સૌપ્રથમ કામચલાઉ જીએસટીઆઈએન એટલે કે આઈડેન્ટીફીકેશન નંબર જારી કરવામાં આવે છે. બીજા તબક્કામાં એમને પોર્ટલ પર લોગ ઈન કરીને કારોબારના સ્થાન, ડાયરેકટર, બેક્નની વિગત અને બીજી જાણકારી આપવાની હોય છે.