પંજાબ તા.4 : પંજાબ ની ચૂંટણી માં અત્યાર સુધી અચંબા ભરી શાંતિ જોવા મળી છે 10.30 વાગ્યા સુધી 12 ટકા મતદાન નોંધાયું છે.પંજાબ માં દરેક રાજકીય પાર્ટી માં કાંટા ની ટક્કર જોવા મળી રહી છે.જો પંજાબ ની ચૂંટણી પર નજર કરવામાં આવે તો કેપ્ટાન અમરિન્દર સિંઘ અને જનરલ જે.જે સિંઘ ની વચ્ચે પટિયાલા ની સીટ પર જંગ થઇ રહી છે,
બંને દિગ્ગજ ઉમ્મેદવારો એ મતદાન કર્યું છે.આ વોટિંગ દરમિયાન જનરલ જે.જે સિંઘ સાથે તેમની પત્ની પણ જોવા મળી હતી અને તેમને જણાવ્યું હતું કે જનરલ ને પડકાર લેવાનું પસંદ છે.
પંજાબ માં ચૂંટણી બુથ પાસે ફાયરિંગ.
પંજાબ માં આજે શાંતિ પૂર્વક થઇ રહેલી ચૂંટણી ના રંગ માં ભંગ પડ્યો છે અજાણયા બાઈક સવારે ફિરોઝપુર પાસે ના ટોલબુથ પાસે ફાયરિંગ કર્યું હોવાના એહવાલ પ્રકાશ માં આવી રહ્યા છે.જેમાં કોઈ ને ઇજા ન પોહચી હોવાની વાત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.
- કેપ્ટન અમરિન્દર સિંઘે પોતાનો વોટ નોંધાવ્યો.
- જનરલ જે.જે સિંઘ પોતાનો વોટ નોંધાવ્યો.
પંજાબ ની ચૂંટણી પર નજર કરવામાં આવે તો 1.98 કરોડ મતદાતાઓ છે જેમાં 1,145 ઉમેદવારો આ વોટ ની તાક રાખી ને બેઠા છે.જયારે ગોવા માં 11 લાખ મતદાતાઓ છે જેમાં 250 ઉમ્મેદવારો માંથી 40 વિધાનસભા ના ઉમ્મેદવારો માટે આ વોટ પર જંગ કરશે.ગોવા અને પંજાબ માં પેહલા ચરણ માં 4 ફેબ્રુઆરી ના મતદાન પછી ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ અને મણિપુર માં ચૂંટણી યોજાનાર છે.માનવામાં આવી રહ્યું છે કે નોટબંધી ભાજપ માટે આ ચૂંટણી એક મોટો પડકાર હોઈ શકે છે.
પ્રકાશ સિંઘ બાદલે મતદાન કર્યું.
- પંજાબ માં હાલ ના મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલે પણ લાંબી ની સીટ પર થી પોતાનું મતદાન નોંધાયું હતું.સાથે તેમને ઘણા આત્મવિશ્વાષ સાથે જણાવ્યું હતું કે ” આ સમયે અમારી પાર્ટી ને ગત વર્ષ કરતા પણ વબધું બહુમતી મળશે.જયારે આમ આદમી પાર્ટી ને અમરિન્દર સિંઘ કોઈ પણ હાલત માં પંજાબ નહિ બેસી શકે “તેમને વધુ માં જણાવ્યું હતું કે ” અમરિન્દર સિંઘ અને ભગવત મંત ફળ બદલું લોકો છે.મારી પાસે 70 વર્ષ નો અનુભવ છે અને અને હું અત્યાર સુધી માં ભારત અને પંજાબ માટે લડ્યો છુ મારી માટે આ એક નાની લડાઈ થી વિષેશ કઈ નથી “
- આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી પદ ના ઉમ્મેદવાર ભગવત મંત એ પણ પોતાનો માટે કર્યો હતો.
પંજાબ ચૂંટણી ની હાઇલાઇટ્સ.
- પંજાબ માં આજે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થનાર છે.
- જયારે સમગ્ર પંજાબ માં 22,614 મતદાન બુથ ની રચના કરવામાં આવી છે,તેમજ 31,460 ઈવીએમ મશીન ની ફાળવણી કરવામાં આવી છે.
- સમગ્ર પંજાબ માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1,00,000 સેક્યુરિટીય ગાર્ડ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પંજાબ ચૂંટણી ની એક મહત્વની વાત સામે આવી રહી છે કે સત્તા માં કોઈ પણ આવે તેની સાથે અમારો કોઈ વાંધો નથી પરંતુ રોજગારી એ અમારી પેહલી માંગ છે.
- સવારે 10 વાગ્યા સુધી પંજાબ માં 10 ટકા મતદાન નોંધાયું છે.
- મુખ્યમંત્રી બાદલ સિંઘે એ જણાવ્યું હતું કે કેપ્ટન અમરિન્દર સિંઘ પંજાબ માં આવે તે શક્ય નથી.
પંજાબ માં 11.30 સુધી 14 ટકા મતદાન નોંધાયું.
સવાર થી ચાલી રહેલા શાંતિપૂર્ણ મતદાન માં અત્યાર સુધી 14 ટકા મતદાન નોંધાયું .
અરવિંદ કેજરીવાલ આઈએસઆઈ ના સ્પોન્સર છે : હર્ષીમ્રત કોર
શિરોમણી અકાલી દળ ના હર્ષીમ્રત કોરે વોટિંગ સમયે અરવિંદ કેરજરીવાલ પર આકરો રોષ ઠાલવ્યો હતો તેમને જણાવ્યું હતું કે કેજરીવાલ રાક્ષસો સાથે જમે છે.તેમને અન્ય આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ” પંજાબ બૉમ્બ બ્લાસ્ટ ના 30 વર્ષ પછી પણ કેજરીવાલ બાબર ખાલસા સાથે જમવા બેસે છે જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે તે આઈએસઆઈ ના સ્પોન્સર છે.”
હરભજન સિંઘ તેમની માતા સાથે વોટ આપવા પોહ્ચ્યા.
જાણીતા ક્રિકેટર હરભજન સિંઘ તેમની માતા અવતાર કોર સાથે મત આપવા માટે જલંધર ના ચૂંટણી બુથ પર આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે આ સમય ની ચૂંટણી માં 3 પાર્ટી એક બીજા સામે ખડે પગે ઉભી છે.તેમને વધુ માં નિવેદન આપતા જણાવ્યું હતું કે ” પેહલા પંજાબ માં બે પાર્ટી હતી અને હવે 3 છે જેના કારણે મત ચોક્કસ પણે વહેચાઈ જવાના છે.જે પણ પાર્ટી જીતે પરંતુ તેમને પંજબ ને પોતાની પાર્ટી કરતા પેહલા મહત્વની સમજે “
નવજોત સિંઘ સિદ્ધુ પણ પોતાનો મત આપવા પોહચ્યાં.
થોડા સમય પેહલા ભાજપ ની સાથે છેડો ફાડી ને કોંગ્રેસ માં જોડાયેલા નવજોત સિંઘ સિદ્ધુ અમૃતસર માં તેમની પત્ની સાથે મત આપવા આવી પોહચ્યાં છે.સાથે તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ” રાહુલ ગાંધી ને પંજાબ તરફ થી અવિશ્વનીય ભેટ મળશે પંજાબ માં કોંગ્રેસ ની સરકાર જ મળશે આ યુગ માં સત્ય ની વિજય થશે પંજબ માં કોંગ્રેસ ના જંડ માં ડંડો હશે ”
હંશ રાજ હંશ ટોલ બુથ પર મત આપવા પોહચ્યાં.
અકાલી દળ ને ભાજપ ના ગઠબંધ થી તેમની સરકાર જ પાછી સત્તા પર આવશે તેમ હંશ રાજ હંસે એ જણાવ્યું હતું.તેમજ વધુ માં તેમને જણાવ્યું હતું કે પંજાબ માં ફરી પ્રકાશ સિંઘ બાદલ મુખ્યમંત્રી બનશે.
મજીઠા અને જલંધર માં ઈવીએમ મશીન માં ખામી.
ચૂંટણી બુથ પર અચાનક જ ઈવીએમ મશીન માં ભંગાણ સર્જાયું છે જેના કારણે મત ની પ્રક્રિયા ને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
ભાજપ ના સૂપડા સાફ થઇ જશે પંજાબ માંથી : લાલુ પ્રસાદ યાદવ
આરજેડી ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ એ ચૂંટણી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે પંજાબ માંથી ભાજપ ના સૂપડા સાફ થી જશે.તેની સાથે જ દેશ ના દરેક રાજ્યો પણ તેમની આજ હાલત થશે.
“બીજેપી કા પુરા દેશ મેં સે સફાયા હોગા ઐસા સંકેત મિલ રહા હૈ”