( Aziz Vhora )
નવી દિલ્હી તા.7 : પંજાબ ના એકઝિટ પોળ પર નજર નાખીયે તો હાલ આમ આદમી પાર્ટી મોખરે ચાલી રહી છે.તેની સાથે જ હવે દિલહી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાની સેના ને આગળ વધારવાના મૂડ માં છે.જો તે પંજાબ માં સપષ્ટ બહુમતી સાથે જીતે છો તેમની સહુથી પેહલી નજર મોદી ના ગુજરાત પર હશે તેવું જાણકારો નું માનવું છે. ઓક્ટોમ્બર 16,2014 ના દિવસે જયારે કેજરીવાલ ની ફ્લાઇટ અમદવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ ત્યાર થી લોકો અનુમાન કરી રહ્યા હતા કે અરવિંદ ની પેહલી પસંદ મોદી નું ગઢ છે.
આ ત્યાર ની વાત છે જયારે કેજરીવાલ પાટીદાર આંદોલન ના પીડિતો અને મૃતકો ને મળવા માટે મેહસાણા પહોંચી ગયા હતા.તેમને પાટીદારો ને આશ્વાશન પણ આપ્યું હતું કે તમને ચોક્કસ પણે ન્યાય અપાવી ને રહીશ.પીલોદરા માં એક નિવેદન તેમને આપતા જણાવ્યું હતું કે ” જેને પણ ફાયરિંગ નો આદેશ આપ્યો છે તે મેંજિસ્ટ્રેટ હશે પરંતુ મને નથી લાગુ કે તે કોઈ મેંજિસ્ટ્રેટ હોય તેમના ઉપર પણ કોઈ નેતા બેસેલા છે અને તેમને આ આદેશ આપ્યો છે “
ઉલ્લેખનીય છે કે પીલોદરા માંથી જ પાટીદાર આંદોલન નું ઉત્થાન થયું હતું.
જયારે બે દિવસ પછી જ કેજરીવાલે સુરત ની મુલાકાત લીધી હતી અને ત્યાં હાર્દિક ને ટેકો આપવાની વાત કહી હતી.તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે હાર્દિક દેશ નો સાચો પુત્ર છે જયારે જેમણે પણ પાટીદાર પર દમન ગુજાર્યું છે તેને જેલ માં ધકેલવામાં આવે.હાલ આમ આદમી પાર્ટી ગુજરાત ના વિવિધ ભાગો માં કાર્યરત છે તેમજ પ્રદેશ પ્રમુખ કનુભાઈ કલાસરિયાં ભાજપ માંથી છેડો ફાડી ને હાલ આપ સાથ જોડાઈ ગયા છે.ત્યારે સૂત્રો પર નજર નાખવામાં આવે તો 2017 ગુજરાત વિધાન ની ચૂંટણી માં કેજરીવાલ માટે ચૂંટણી એજન્ડા પેહલા થી તૈયાર છે તે આ સમયે લઘુમતી કોમ પર થયેલા અત્યારચાર પર જ મોદી સરકાર ને તેના ગઢ માં ઘેરે તેમ છે.