સામાન્ય લોકોને ટુંક સમયમાં જ હવે પાસપોર્ટ, લાયસન્સ, રજિસ્ટ્રેશન, પરીક્ષા અને સરકાર તરફથી ઉપલબબ્ધ કરાવવામાં આવી રહેલી અન્ય અનેક સેવા માટે વધારે ફી ચુકવવી પડશે. કારણ કે નાણાં મંત્રાલય દ્વારા આ દિશામાં પહેલ કરી છે. સાથે સાથે યુઝર ચાર્જ વધારી દેવા માટેની તૈયારી કરી છે. નાણાં મંત્રાલય દ્વારા હવે વર્તમાન પ્રોજેક્ટ પર ખર્ચના ફંડિંગ અને ઉપલબ્ધ કરાવવામાં આવનાર સર્વિસના ખર્ચને રિકવર કરવા માટે યુજર ચાર્જમાં વધારો કરવા માટે વિભાગ મંત્રાલયને સીધી સુચના આપી દીધી છે. હાલમાં જ બજેટને લઇને ચર્ચા વિચારણા શરૃ કરનાર નાણાં મંત્રાલય દ્વારા ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે મંત્રાલય અને વિભાદ યુઝર ચાર્જ વધારી દઇને વર્તમાન પ્રોજેક્ટ પર ખર્ચને પૂર્ણ કરવામાં આવે. દાખલા તરીકે યુનિયન પબ્લિક સર્વિસ કમીશન સિવિલ સર્વિસની પરીક્ષા માટે હાલમાં ૧૦૦ રૃપિયા લે છ. જ્યારે આ પરીક્ષાના આયોજન પર ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણો વધારો થઇ ગયો છે.
રેલવેની કેટલીક સર્વિસ પર પણ ભારે સબસિડી આપવામાં આવે છે. મોટા ભાગની અન્ય સર્વિસ માટે ચાર્જ કે તો સ્થિર છે અથવા તો તેમાં નજીવો વધારો થયો છે. આ વિભાગની માહિતી ધરાવનાર લોકોએ કહ્યુ છે કે ઓટોનોમસ સંસ્થાને આત્મનિર્ભર બનવા તરફ વધવાની જરૃર છે. સરકાર ક્યા સુધી સર્વિસ પર સબસિડી આપતી રહેશે. પાસપોર્ટ માટે ફી અંતિમ વખતે વર્ષ ૨૦૧૨માં વધારી દેવામાં આવી હતી. એ વખતે ફી ૧૦૦૦ રૃપિયાથી વધારીને ૧૫૦૦ રૃપિયા કરવામાં આવી હતી. મોટા ભાગના મામલામાં કોસ્ટ મુજબ ફી ઓછી છે. જેથી સરકારને જંગી સબસિડી આપવાની ફરજ પડે છે. આ અગાઉ પણ આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિક રીતે વધારે કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. પરંતુ આ વર્ષે નાણાં મંત્રાલય આને લઇને ગંભીર છે. તે પોતે મંત્રાલય અને વિભાગને વાત કરીને સુચના આપી રહ્યુ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પર્વ ગવર્નર બિમલ જાલનના નેતૃત્વમાં કમીશને એક અહેવાલ સોંપ્યો છે. જેમાં સરકારી સંગઠન તરફથી આપવામાં આવતી સર્વિસ માટે કોસ્ટ રિકવર પર ભાર મુક્યો છે..