જયપુરમાં ચોકાવનાંરી એક ઘટના બનવા પામી છે. નોટબંધી વખતે રાજકુમાર નામનો વ્યક્તિ જે હાલ ઉદ્યોગભવન પાસે ચાની દુકાનમાં કામ કરે છે. જેનો મહિનાનો પગાર 6 હજાર રૂપિયા છે. જેમણે 18 નવેમ્બર 2016ના રોજ બેન્ક ઓફ બરોડાની એક બ્રાન્ચમાં 48 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. જ્યારે તેમણે બેંકમાં પૈસા જમા કરાવ્યા ત્યારે નોટબંધી નો માહોલ ચાલી રહ્યો હતો. તે સમયે બેન્ક કર્મચારીએ ભૂલથી તેના ખાતામાં 4 કરોડ 80 લાખ રૂપિયા જમા કરી દીધાં હતાં. જો કે તરત જ બેન્કે પોતાની ભૂલ સ્વીકારીને તેના ખાતા માંથી નાણા વિડ્રો કરી લીધાં હતાં.આ ઘટનાના 14 મહિના બાદ અચાનક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ રાજકુમારને નોટિસ મોકલી હતી. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને બોલાવ્યો. અધિકારીએ ત્રણ દિવસ સુધી તેમની પૂછપરછ પણ કરી હતી. તેમણે દર વખતે જણાવ્યું કે બેન્કની ભૂલના કારણે આટલી મોટી રકમ પોતાના ખાતામાં જમા થઇ છે. તેમ છતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રાજકુમારને ચાર વખત નોટિસ મોકલવામાં આવી છે. દર વખતે અધિકારીએ કેશબુક, સેલ્સ બુક, સ્ટોક રજિસ્ટર લાવવાનું પણ કહે છે. તેમણે કહ્યુ કે હું ચાની દુકાન પર કામ કરૂ છું. મારી પાસે આ બધુ નથી. જ્યારે રાજકુમારને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રિટર્ન ભરવા માટે કહ્યું છે પરંતુ રાજકુમાર પાસે રિટર્ન ભરવા માટે નાણા નથી. ત્યારે આ ચા વાળો આમ આદમી છે. અને બેંકની ભુલનો શિકાર બની રહ્યો છે.