ભોપાલથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત ટ્રેન (20171) સોમવારે સવારે 5.40 વાગ્યે ભોપાલ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. આ દરમિયાન ટ્રેનના કોચ નંબર C 14માં આગ લાગી હતી.
ભોપાલથી નવી દિલ્હી તરફ આવી રહેલી વંદે ભારત ટ્રેન એક મોટા અકસ્માતનો શિકાર બની છે. સોમવારે જ્યારે આ ટ્રેન બીના સ્ટેશન પર ઉભી હતી ત્યારે આ ટ્રેનમાં આગ લાગી હતી. આગની માહિતી મળતા જ મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ટ્રેનને અધવચ્ચે રોકીને જ મુસાફરોને નીચે ઉતારવી પડી હતી. મળતી માહિતી મુજબ, ભોપાલથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત ટ્રેન (20171) સોમવારે સવારે 5.40 વાગ્યે ભોપાલ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. આ દરમિયાન ટ્રેનના કોચ નંબર C 14માં આગ લાગી હતી. આ કોચમાં લગભગ 36 મુસાફરો હતા જેઓ ઉતાવળમાં ઉતરી ગયા હતા.