(Aziz Vhora)
નવી દિલ્હી તા.24 : મહારાષ્ટ્ર માં તેમજ ઓડિશા માં થયેલ ભવ્ય વિજય અને દમદાર ઉપસ્થિતિ પછી સમગ્ર ભાજપ ની ટિમમાં હાલ ખુશી નું મોજું પ્રશરી ગયુ છે.જેના પછી ભાજપ દ્વારા સમગ્ર દેશ માં એલાન કરવામાં આવ્યું છે કે આવનાર 25 તારીખ એ સમગ્ર દેશ માં વિજય દિવસ તરીકે ઉજવવા માં આવશે.જેના પછી સમગ્ર ભાજપ પાર્ટી આવનાર 25 ફેબ્રુઆરી ના દિવસે સમગ્ર ભાજપ કાર્યાલય પર વિજય દિવસ ની ઉલ્લાશ ભેર ઉજવણી કરશે અને આ પ્રકાર ની ભવ્ય જીત નું કારણ જણાવતા કહ્યું છે કે નોટબંધી ના કારણે તેમને જનતા તરફ થી યોગ્ય પ્રતિસાદ મળ્યો છે.
મહારાષ્ટ્ર માં થયેલ જીત પછી બીજેપી સરકાર નોટબંધી નો ચૂંટણી એજન્ડા હાલ યુપી માં પણ અમલ માં લાવશે તેમ જાણકારો નું માનવું છે.વધુ માં જો પાર્ટી નું કેહવું છે કે મહારાષ્ટ્ર અને ઓડિશા ના લોકો એ જે રીતે નોટબંધી ને સમર્થન આપી ને જીતાડ્યુ છે તે જ રીતે તમે પણ અમને આવનાર ચૂંટણી માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર લાવો અને સમગ્ર દેશ માં હાલ ભાજપ વિના કોઈ રોકટોક થી સત્તા પર આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે પેહલી વખત ભાજપ મહારાષ્ટ્ર માં કોઈ ટેકા વગર 82 સીટ મેળવવા માં સફળ રહ્યું છે.શિવસેના 84 સીટ મેળવવા માં સફળ રહી છે.મહાનગર પાલિકા ની ચૂંટણી માં ભાજપ શિવસેના કરતા માત્ર 3 સીટો પાછળ રહી છે.તેની સાથે જ ભાજપ એ મહારાષ્ટ્ર માં મુખ્ય મગરપાલિકા ની ચૂંટણી માં પણ અસામાન્ય બહુમત મેળવી છે.બીએમસી ની ચૂંટણી આ સમયે ભાજપ નું પ્રદર્શન કઈક અનોખું અને શાનદાર રહ્યું છે.જયારે આજ થી 5 વર્ષ પેહલા ભાજપ એ માત્ર 31 સીટ જ જીતી હતી