નવી દિલ્લી તા.30 : રાહુલ ગાંધી આજે માનહાની ના કેસ ને લઇ કોર્ટ માં હાજર રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.2014 માં ભિવંડી માં એક રેલી દરમિયાન રાહુલ ગાંધી એ રાષ્ટ્રીય સ્વયંમ સંઘ પર આરોપ મુક્યો હતો કે તેમના કાર્યકરતા દ્વારા જ રાષ્ટ્રપિતા ગાંધીજી ની હત્યા કરવામાં આવી હતી.જેના બાદ થી આરએસએસ ના કાર્યકરતા માં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમને આકરા વિરોધ ની સાથે કોર્ટ માં માનહાની નો કેસ દાખલ કર્યો હતો.જયારે આજે 2014 માં કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સુનાવણી થઇ શકે છે.
જયારે આ કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે પેહલી સુનવણી પછી રાહુલ ગાંધી ને 15,000 નો દંડ ભરી ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.જેમાં કોંગ્રેસ ના કાર્યકરતા દ્વારા કોર્ટ સમક્ષ આજીજી કરવામાં આવી હતી કે બીજી સુનાવણી 30 જાન્યુઆરી એ કરવામાં આવે અહીં નોંધનીય છે કે આજ ના દિવસે એટલકે 30 જાન્યુઆરી 1948 ના રોજ ગાંધીજી ની હત્યા થઇ હતી.
રાહુલ ગાંધી પર શું આરોપ છે.
– 6 માર્ચ 2014 ના દિવસે રાહુલ ગાંધી લોકસભા ની ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપતા જણાવ્યું હતું કે ગાંધીજી ની હત્યારા બીજા કોઈ નહિ
પરંતુ આરએસએસ ના લોકો હતા જેના પછી સંઘ ના કાર્યકરતા રાજેશ ફૂંટે એ કોર્ટ માં ફરિયાદ નોંધાવી હતી.
– રેલી દરમિયાન રાહુલ ગાંધી એ સ્પષ્ટ શબ્દો માં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા ની હત્યા આરએસએસ દ્વારા કરવામાં આવી હતી.