નવી દિલ્લી તા 21 : રાહુલ ગાંધી આજે મેહસાણા માં જંગી સભા યોજી હતી.મોદી સરકારને પ્રહારો ના ઘેરામાં લીધા હતા અને સાથે જ અમુક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા જેમાં રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે તેમને સહારા જૂથ પાસે થી કરોડો રૂપિયા લીધા છે અને તેમને તારીખ અને દિન સાથે આ વાતની સ્પષ્ટતા તેમને મેહસાણા ની સભા માં કરી હતી જેના પછી ભાજપ સરકાર ના રવિ શંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો જેમાં તેમને કહ્યું હતું કે’રાહુલ ગાંધી એ ગંગા સમાન પ્રધાનમંત્રી પર આરોપ લગાવ્યા છે અને રાહુલ પોતે પણ હેરોલ્ડ કેસ માં 5000 હાજર કરોડ ના કૌભાંડ ના આરોપી છે.રાહુલ ગાંધી પોતાની માનસિકતા ધીરે ધીરે ઘુમાવી રહ્યા છે તેમજ મેહસાણા ના લોકો ને રાહુલ ગાંધી ના ભાષણ થી મનોરંજન મળ્યું છે રાહુલ ગાંધી ની વાત ખુદ કોંગ્રેસ પણ ગંભીરતાથી લેતા નથી અને જો ખરેખર માં રાહુલ પાસે આરોપો ને લઇ ને કઈ પણ પુરાવા હોઈ તો તે લઇ ને સંસદ માં આવે રાહુલે ગુસ્સા માં આવી ને બેબુનિયાદ આરોપો લગાવ્યા છે.રાહુલ ગાંધી વિચારીયા વિના જ બોલે છે અને રાહુલ પોતે મોદી ફોબિયા થી પીડાઈ રહ્યા છે’ઉલ્લેખનિય છે કે આ પેહલી વખત નથી કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી ના “વ્યક્તિગત કૌભાંડ” નો આરોપ લગાવ્યો હોય.
રાહુલ ગાંધી એ આજે વિગત વાર રીતે આરોપો લગાવ્યા હતા.
રાહુલે વિગતવાર માહિતી આપતા કહ્યુ કે આયકર વિભાગના રેકોર્ડ પ્રમાણે, 30 ઓક્ટોબર 2013ના રોજ અઢી કરોડ રૂપિયા, 12 નવેમ્બર 2013ના રોજ 5 કરોડ, 27 નવેમ્બર 2013ના રોજ અઢી કરોડ, 29 નવેમ્બર 2013ના રોડ પાંચ કરોડ, 6 ડિસેમ્બર 2013ના રોજ પાંચ કરોડ રૂપિયા, 19 ડિસેમ્બરના રોજ પાંચ કરોડ રૂપિયા, 13,જાન્યુઆરી 2014ના રોજ પાંચ કરોડ, 28 જાન્યુઆરી,2014ના રોજ પાંચ કરોડ, 22 ફેબ્રુઆરીના રોજ 2014 5 કરોડ રૂપિયા સહારા ગ્રુપ દ્ધારા વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા હતા.