વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી આવેલી શિક્ષણ નીતિ ઉપર વિસ્તારથી વાત કરતા જણાવ્યુ હતુ કે કેબિનેટ તરફથી નવી શિક્ષણનીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષ બાદ નવી શિક્ષણનીતિમાં ફેરફારકરવામાં આવ્યો છે. 4 વર્ષ ના મહા મંથન બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિચાર કરી ને અમલ કરવામાં આવ્યો. નવી શિક્ષણ નીતિ આવ્યા બાદ કોઈ એક તરફો ઝુકાવ નહીં રહે. તેમણે વધુમાં જણાવ્યુ કે હું પુરી રીતે તમારી તરફ અને સાથે છું. વર્ષ 2030 સુધીમાં દેશ ના દરેક બાળકો નું ભવિષ્ય સુધરી જશે. પ્રાથમિક શિક્ષણ ધોરણ 6 થી 9 નું રહેશે. બોર્ડ ની પરીક્ષાને પણ બે ભાગ માં વહેંચવામાં આવશે. 3 થી 6 વર્ષ ના બાળકો માટે અભ્યાસ ક્રમ બનાવવા માં આવશે. પાલક બાળકો અને વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે..હોડ લગાવવા ની નીતિ થી આગળ વધવું પડશે.યુવાઓને પરપઝ ફોર એજ્યુકેશન શીખવાડવું પડશે.નવી શિક્ષણ નીતિમાં કોઈપણ ભેદભાવ રાખવામાં આવશે નહીં.જ્યાં જરૂર જણાશે ત્યાં ફેરફાર પણ કરશું. નવી શિક્ષણ નીતિ નવા નિર્માણ નું ભવિષ્ય બનશે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ ખૂબ મહત્વ પૂર્ણ રહેશે. મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ નો ચાન્સ આપી ને કોર્ષ બદલવા માટે ચાન્સ આપવામાં આવશે. 21 મી સદી ને ધ્યાનમાં રાખીને બનાવવા માં આવી છે નવી શિક્ષણ નીતિ. નવી શિક્ષણ નીતિથી ભારતનો પાયો મજબૂત થશે. સ્કૂલ શિક્ષણ ની 10+2 ની નીતિ પૂર્ણ થશે.
Monday, May 20