વધતા ઇમિગ્રેશન આંકને કાબુમાં રાખવા માટે બ્રિટન સરકારે બિનયુરોપિયન સંગઠન લોકો માટે પોતાની વીઝા પોલિસીમાં ફેરફાર કરવાન નિર્ણય લીધો છે. આ પરિવર્તનથી મોટી સંખ્યામાં ભારતીયોને જેમાં ખાસ કરીને આઇટી ક્ષેત્રે જોડાયેલા લોકોને વધુ અસર પડી શકે છે. આ જાહેરાત બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ પોતાના ભારતના પ્રવાસ પહેલા કરી છે. થેરેસા રવિવારે નવી દિલ્હી આવી રહ્યાં છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં હોમ ઓફિસ તરફથી ગુરૂવારે જાહેરાત કરવામાં આવી કે નવા વીઝા પ્રમાણે ટાયર-૨ એન્ટ્રા કંપની ટ્રાન્સફર (કંપની અંદર ટ્રાન્સફર)ની કેટેગરી માટે ૨૪ સપ્ટેમ્બર બાદ અરજી આપનારા લોકો માટે જરૂરી પગાર મર્યાદા ૩૦૦૦૦ પાઉન્ડ હશે. આ પહેલા લઘુત્તમ મર્યાદા ૨૦૮૦૦ પાઉન્ડ હતી. આઇસીટી (ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર) રૂટનો ઉપયોગ મોટાભાગે બ્રિટન સ્થિત ભારતીય કંપની કરી રહી છે. બ્રિટનની માઇગ્રેશન એડવાઇઝરી કમિટિ (એમએસી)ની તપાસમાં બહાર આવ્યું કે શરૂઆતમાં આ પ્રકારે અંદાજે ૯૦ ટકા ભારતીયો આઇટી ક્ષેત્રે મેળવ્યા હતાં.
બ્રિટનના ગૃહ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે ટાયર-રના ફેઝમાંથી એકનું માર્ચમાં એલાન કરવામાં આવ્યું હતું. પ્રથમ ફેઝનું એલાન ઇન્ડિપેન્ડેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી કમિટિ દ્વારા સમીક્ષા કર્યા બાદ કરવામાં આવ્યું છે. જો કોઇ આ મામલે તેના વિરૂદ્ઘમાં કોઇ આદેશ નહીં આવે તો તેને ૨૪ નવેમ્બરે લાગુ કરવામાં આવશે. ટિયર-ર આઇસીટી માટે લઘુત્તમ પગાર મર્યાદા વધારવા ઉપરાંત એક અન્ય ફેરફાર પણ છે જે અંતર્ગત અનુભવી કર્મચારીઓ માટે પગાર મર્યાદા વધારીને ૨૫ હજાર પાઉન્ડ કરી દેવામાં આવી છે. તેમાં કેટલાક અપવાદો પણ સામેલ છે. ટિયર-ર (આઇસીટી) સ્નાતક પ્રશિક્ષુના પગારની મર્યાદા ૨૩ હજાર પાઉન્ડ કરી દેવામાં આવી છે અને પ્રતિ વર્ષ, પ્રતિ કંપની પદોથી સંખ્યા વધારીને ૨૦ કરી દેવામાં આવી છે અને ટિયર-ર (આઇસીટી) કૌશળ્ય સ્થળાંતરની પેટા કેટેગરીને બંધ કરી દેવામાં આવી છે. ટિયર-૪ શ્રેણી માટે પણ અનેક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટરેટ વિસ્તાર યોજના માટે મેન્ટેનન્સ સંબંધી અનિવાર્યતાઓ તેમાં આવે છે. ભારતીયોની સાથે-સાથે યુરોપિયન સંઘની બહારના નાગરિકો બ્રિટનમાં અઢી વર્ષ બાદ પરિવારના એક સભ્ય તરીકે નાગરિકતા મેળવવા માટે અરજી કરે તો અંગ્રેજી ભાષાની નવી અનિવાર્યતાથી પણ પ્રભાવિત થશે. આ નિયમ બ્રિટનમાં પાંચ વર્ષ માટે વસવાના માર્ગ પર લાગુ થશે. નવી અનિવાર્યતા એ સાથીદારો અને માતા-પિતા પર લાગુ થશે જેમની પરિવાર ઇમિગ્રેશન નિયમો અંતર્ગત બ્રિટનમાં રહેવાની હાલની મુદત ૧ મે ૨૦૧૭ના રોજ કે ત્યારબાદ પૂરી થનાર છે. આ તમામ ફેરફારો વાસ્તવમાં ટિયર-ર આઇસીટી માર્ગ પર નિયંત્રણ મેળવવા અને વિદેશી કર્મચારીઓ પર નિર્ભરતા ઘટાડવા માટે આ વર્ષના પ્રારંભમાં ઇમિગ્રેશન સલાહકાર સમિતિની સલાહ બાદ જાહેર કરાયા છે.