દિલ્હીમાં સગીર છોકરીની હત્યા અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ એટી હસને કહ્યું કે ‘મુસ્લિમ છોકરાઓએ હિંદુ છોકરીઓને બહેનો માની લેવી જોઈએ, પ્રેમના ચક્કરમાં ન પડવું, નહીં તો જીવન બરબાદ થઈ જશે.
દિલ્હીના શાહબાદ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સગીર બાળકી સાક્ષીની હત્યા મામલે સપાના સાંસદ ડૉ.એસ.ટી હસને વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે આ હેવાનિયત છે, તે લોકોને જીવવાનો અધિકાર નથી, તેમને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. સપાના સાંસદ એસટી હસને કહ્યું કે મુસ્લિમ છોકરાઓએ હિંદુ છોકરીઓને પોતાની બહેનો માની લેવી જોઈએ. પ્રેમ કે પ્રેમ સંબંધમાં ફસાશો નહીં, નહીં તો જીવન બરબાદ થઈ જશે.
એટી હસને કહ્યું કે જો કોઈ હિંદુ મુસ્લિમ સાથે લગ્ન કરે છે તો તે લવ જેહાદ બની જાય છે અને આજે દુનિયા માં આ જ થઈ રહ્યું છે. આ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે,લૈલા મંજનુ, શેરીન-ફરહાદ, આ બધું સદીઓથી ચાલતું આવ્યું છે.
હવે જ્યારે આ પ્રેમ જ્યારે પ્રણય માં પરિવર્તિત થાય છે ત્યારે સમાજ કે પરિવારના દબાણ હેઠળ બાળકો કહે છે કે તેમને ખબર નથી કે તે હિંદુ છે કે મુસ્લિમ. આમાં 90% કેસ એવા હોય છે જેઓ પ્રેમ પ્રકરણમાં ફસાઈ જાય છે અને જ્યારે મામલો સામે આવે છે ત્યારે તેઓ કહે છે કે તેમને બિલકુલ ખબર ન હતી. હું ખાસ કરીને મુસ્લિમ યુવાનોને કહીશ કે આજનો સમય એવો છે કે તેઓ હિંદુ છોકરીઓને બહેનો માને. કોઈપણ પ્રેમ,પ્રેમના ચક્કરમાં ફસાશો નહીં,નહીં તો તેમનું જીવન બરબાદ થઈ જશે.